વાદવિવાદના ક્લેશનું કારણ થતો હોવાથી તે છોડીને, જ્ઞાની પોતાના
જ્ઞાનનિધિને ભોગવે – એમ કહ્યું છે; પણ પોતાના ગુરુજનો ઉપકારી
પુરુષો તેમજ તત્ત્વજિજ્ઞાસુ સાધર્મી – સજ્જનો તેમને કાંઈ ‘પરજન’
નથી કહ્યા; તેમનો તો સંગ કરે, તેમજ તેમની સાથે સ્વાનુભવની ચર્ચા
પણ કરે. જ્યાંત્યાં અયોગ્ય સ્થાને તેની ચર્ચા ન કરે. જો સુયોગ્ય જીવ
સાથે પણ જ્ઞાની પોતાના સ્વાનુભવની ચર્ચા ન કરે તો જગતમાં
સ્વાનુભૂતિના માર્ગની પરંપરા કઈ રીતે ચાલશે
‘પ્રત્યક્ષ સાંભળીને’ (ટેપ દ્વારા સાંભળીને કે લખાણ વાંચીને નહિ
પણ એકવાર પ્રત્યક્ષ સાંભળીને) જીવને દેશનાલબ્ધિ થાય
છે.....અને પછી સુપાત્ર જીવ તેવો સ્વાનુભવ કરે છે. હવે જો જ્ઞાની
પોતાના અનુભવની વાત બોલે જ નહિ તો દેશનાલબ્ધિનો જ લોપ
થઈ જાય
કરે
તેના દ્વારા તે પ્રસિદ્ધ કરે જ છે કે હું કેટલો મુલ્યવાન છું
ઝવેરી જેવા કુશળ જિજ્ઞાસુઓ તેમને પારખી લઈને પોતાનું કલ્યાણ
કરે છે. આ લેખકને જીવનમાં અનેક જ્ઞાનીઓ મળ્યાં છે, ને તેમના
શ્રીમુખથી તેમના સ્વાનુભવની વાત પ્રત્યક્ષ સાંભળી છે, – જે
અપૂર્વ કલ્યાણનું કારણ થયું છે.