Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 121 of 237
PDF/HTML Page 134 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( વિવિધ ચર્ચાઓ : ૧૨૧
– ભાઈ, એમાં તો ધર્મના વિરોધી જીવો, કે તત્ત્વની જિજ્ઞાસા
વગરના સાવ લૌકિક જીવોને ‘પરજન’ કહ્યા છે, તેવા જીવોનો સંગ
વાદવિવાદના ક્લેશનું કારણ થતો હોવાથી તે છોડીને, જ્ઞાની પોતાના
જ્ઞાનનિધિને ભોગવે – એમ કહ્યું છે; પણ પોતાના ગુરુજનો ઉપકારી
પુરુષો તેમજ તત્ત્વજિજ્ઞાસુ સાધર્મી – સજ્જનો તેમને કાંઈ ‘પરજન’
નથી કહ્યા; તેમનો તો સંગ કરે, તેમજ તેમની સાથે સ્વાનુભવની ચર્ચા
પણ કરે. જ્યાંત્યાં અયોગ્ય સ્થાને તેની ચર્ચા ન કરે. જો સુયોગ્ય જીવ
સાથે પણ જ્ઞાની પોતાના સ્વાનુભવની ચર્ચા ન કરે તો જગતમાં
સ્વાનુભૂતિના માર્ગની પરંપરા કઈ રીતે ચાલશે
?
વળી જુઓ, દેશનાલબ્ધિનો નિયમ શું સૂચવે છે? કોઈ પણ
સ્વાનુભૂતિવંત જ્ઞાનીના શ્રીમુખથી આત્માના અનુભવની વાત
‘પ્રત્યક્ષ સાંભળીને’ (ટેપ દ્વારા સાંભળીને કે લખાણ વાંચીને નહિ
પણ એકવાર પ્રત્યક્ષ સાંભળીને) જીવને દેશનાલબ્ધિ થાય
છે.....અને પછી સુપાત્ર જીવ તેવો સ્વાનુભવ કરે છે. હવે જો જ્ઞાની
પોતાના અનુભવની વાત બોલે જ નહિ તો દેશનાલબ્ધિનો જ લોપ
થઈ જાય
!
ઘણા લોકો ભ્રમણાથી એમ માને છે કે ‘હીરા મુખસે ના કહે,
લાખ હમારા મોલ, તેમ જ્ઞાની પોતે પોતાના અનુભવની વાત ન
કરે
!’ – પણ તે વાત બરાબર નથી. પ્રથમ તો હીરાને મુખ – જીભ
જ નથી કે તે બોલે; અથવા હીરાની ચમક એ જ એનું મુખ છે ને
તેના દ્વારા તે પ્રસિદ્ધ કરે જ છે કે હું કેટલો મુલ્યવાન છું
! તેમ
જ્ઞાનીની વાણીમાં સ્વાનુભવની ચમક હોય છે ને તેના ઉપરથી
ઝવેરી જેવા કુશળ જિજ્ઞાસુઓ તેમને પારખી લઈને પોતાનું કલ્યાણ
કરે છે. આ લેખકને જીવનમાં અનેક જ્ઞાનીઓ મળ્યાં છે, ને તેમના
શ્રીમુખથી તેમના સ્વાનુભવની વાત પ્રત્યક્ષ સાંભળી છે, – જે
અપૂર્વ કલ્યાણનું કારણ થયું છે.