Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 123 of 237
PDF/HTML Page 136 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( વિવિધ ચર્ચાઓ : ૧૨૩
‘આત્મસિદ્ધિ’માં બોધબીજ પામેલો શિષ્ય કહે છે કે –
‘સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન;
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.
ભાસ્યું નિજસ્વરુપ તે શુદ્ધ ચેતનારુપ;
અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરુપ.’
પ્રવચનસાર : પહેલી જ ગાથાનો પહેલો શબ્દ ‘एष.....’ તેના
અર્થમાં કહે છે કે ‘આ સ્વસંવેદન – પ્રત્યક્ષ હું.....પ્રણમું છું.
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના ઐક્યસ્વરુપ એકાગ્રતાને હું
અવલંબ્યો છું.
(ગા. ૮૦) મોહની સેનાને જીતવાનો ઉપાય મેં મેળવ્યો
છે.....અર્થાત્ મને સમ્યગ્દર્શન થયું છે.....મેં ચિંતામણિ પ્રાપ્ત
કર્યો છે.....મારી મતિ વ્યવસ્થિત થઈ છે.....
(ગા. ૯૨) બહિર્મોહદ્રષ્ટિ આગમકૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે
હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીને ઉત્પન્ન થવાની
નથી.....‘આ આત્મા સ્વયમેવ ધર્મ થયો.’
(પ્ર. ગા. ૧૯૯) ‘મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય
છે.’ અર્થાત્ મોક્ષમાર્ગ નક્કી કરીને તેમાં ચાલી રહ્યા છીએ.
(ગા. ૨૦૦) હું આ મોક્ષાધિકારી, જ્ઞાયકસ્વભાવી
આત્મતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક.....શુદ્ધાત્મામાં પ્રવર્તું છું.
– આ રીતે સ્વાનુભવી જ્ઞાનીજનો, સુયોગ્ય પ્રસંગે સુપાત્ર
જીવો સમક્ષ પોતાના સ્વાનુભવની મહા આનંદકારી વાત કરે છે, ને
જિજ્ઞાસુ જીવોને તે મહાન આત્મલાભનું કારણ થાય છે.
જિજ્ઞાસુઓને માટે આ વિષય મહત્ત્વનો અને લાભકારી હોવાથી
તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.
c