Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 3.

< Previous Page   Next Page >


Page 131 of 237
PDF/HTML Page 144 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૩૧
(૩)
પરમ ભાગ્યે કહાન – ગુરુના સંગમાં,
લેવા સમકિત આવ્યો હરિપ્રસંગ જો;
અદ્ભુત માતા વેદક મારા આત્મના,
એ છે મારાં સમ્યક્ના દાતાર જો.....
અહો, આ જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ તેમાં પરમ
ઉપકારભૂત શ્રી કહાનગુરુ છે કે જેઓ ભવિષ્યના એક મહાન
તીર્થંકર છે; અને પૂજ્ય બન્ને ધર્મમાતાઓ, – કે જેમણે આ
બાળકને પરમ વાત્સલ્યથી ચૈતન્યનું અમૃત નિરંતર પીવડાવ્યું છે –
તે માતાઓ દ્વારા અંતરની ઉર્મિથી બતાવાયેલો શુદ્ધઆત્મા આ
જીવને પ્રાપ્ત થયો છે, તેથી તે માતાઓનો પણ ખરેખર પરમ
ઉપકાર છે; તે માતા સમ્યક્ત્વના દાતા છે.
આ જીવનમાં સં. ૧૯૯૯ માં (૧૯ વર્ષની વયે) કોઈ
અચાનક સુયોગે (રાજકોટમાં) ટ્રેઈન ચુકી જતાં કહાનગુરુનો સંગ
મને પ્રાપ્ત થયો; સમ્યક્ત્વ પામવા માટે જ કુદરતે મને કહાનગુરુના
ચરણમાં મુક્યો, ને એ કહાનગુરુની મંગલ છાયામાં આત્મહિતની
ભાવના ભાવતાં – ભાવતાં, જિનવાણીનો અભ્યાસ કરતાં – કરતાં,
ધર્મમાતાઓ પાસેથી વારંવાર આત્માનું પ્રોત્સાહન મેળવતાં –
મેળવતાં, જે ચૈતન્યરસનું ઘોલન થયું, ચૈતન્યરસ વારંવાર ઘૂંટાયો,
દિનરાત નિરંતર આત્માની શાંતિ કેમ મળે
! આત્મા સંસારના
દુઃખથી છૂટીને ધર્મની અનુભૂતિ કેમ પામે? એવી અનુભૂતિને
પામેલા પરમ વૈરાગ્યવંત ધર્મમાતાઓના જીવનને વારંવાર દેખી –
દેખીને અત્યંત ઉત્કંઠા જાગતી હતી કે અહો
! મારું જીવન પણ આ
ધર્મમાતાઓ જેવું ક્યારે થાય! – એમ વારંવાર ખૂબ ખૂબ ભાવના
ભાવતાં – ભાવતાં, ગુરુઓના ચરણમાં રહેતાં – રહેતાં,