થઈ, અને આ જીવ તેઓના પરમ ઉપકારને લીધે સમ્યક્ત્વ પામ્યો.
અહો, મને સમ્યક્ત્વના દાતાર સંતો
માનું છું. ।।૩।।
વિકલ્પો – જડ પામી શકે નહીં પાર જો;
અડી શકે નહીં અંતર આતમરામને,
ચેતનથી છે વિલક્ષણ સૌ ભાવ જો.....
કોઈ વિકલ્પો, કોઈ જડ – વાણી એનો પાર પામી શકતા નથી;
કેમકે આ ચૈતન્યતત્ત્વ – તેને કોઈ વિકલ્પો કે ઇન્દ્રિયગમ્ય પદાર્થો
અડી શકતા નથી. અહો, ચૈતન્યનો વિલક્ષણ ભાવ
લક્ષણવાળાં વિલક્ષણ છે. રાગથી વિલક્ષણ, જડથી વિલક્ષણ એવું
કોઈ પરમ ચૈતન્યસ્વરુપ આત્મતત્ત્વ, – અંતરનો મારો
આતમરામ, તે સ્વસંવેદનમાં સમાયેલો છે; તે વાણીમાં – વિકલ્પમાં
આવી શકતો નથી; તેનું જે સ્વસંવેદન થયું તેમાં કોઈ વાણીની
અપેક્ષા ન હતી, કોઈ વિકલ્પની અપેક્ષા ન હતી, અંદર માત્ર
ચૈતન્યરસ એક જ ઘોળાતો હતો. ।।૪।।