અનંત ગુણોના રસમાં ડૂબ્યા રામ જો;
દરિયો ઊંડો કેવો ચૈતન્ય રસનો,
સ્વયંભૂથી પણ નહીં માપ મપાય જો.....
અનંત ગુણના ચૈતન્યરસમાં લીન થયો, એની શી વાત
વડે પણ જેનું માપ થઈ શકતું નથી, જેની ગંભીરતા અનંતા
સ્વયંભૂરમણ સમુદ્રથી પણ અધિક છે, જેની ગંભીરતા એકમાત્ર
અતીન્દ્રિય જ્ઞાનમાં જ સમાઈ શકે છે, બીજી કોઈ રીતે જેનું માપ
થઈ શકતું નથી એવો અમાપ – અગાધ શાંત ચૈતન્યરસનો સમુદ્ર
આત્માની અનુભૂતિમાં ઉલ્લસ્યો.
કદી ન આવે, નિજ મર્યાદા બાહ્ય જો;
એવું વેદન અંતરમાં શુદ્ધ ભાવનું,
મલિન ભાવો જેમાં કદી ન સમાય જો.....
બીજા કોઈ ભેદો, બીજા કોઈ વિકલ્પો કે અન્ય કોઈ સંગ ત્યાં