Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 136 of 237
PDF/HTML Page 149 of 250

 

background image
૧૩૬ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
દેખાતો ન હતો. ચેતનરાજા એકલો પોતાના શુદ્ધ વેદનમાં
પરિણમતો, પોતાની મર્યાદામાં સ્વઘરમાં સમાતો, આનંદથી
પરિણમતો હતો. પોતાના દ્રવ્ય – ગુણ – પર્યાયની શુદ્ધતાની
એકતા, – એ એકત્વની મર્યાદાથી બહાર એ જરા પણ ન જતો;
ને પોતાના સ્વરુપના વેદનમાં અન્ય ભાવને પોતે આવવા દેતો ન
હતો; પોતાના એકત્વના વેદનને કોઈ અન્ય ભાવથી કે કોઈ
ભંગભેદથી ખંડિત કરતો ન હતો.
– આવું અદ્ભુત એકત્વ! સુંદર એકત્વ! કુંદકુંદ સ્વામીએ
બતાવેલું એકત્વ, મારી અનુભૂતિમાં મને પ્રાપ્ત થયું. અનુભૂતિમાં
આવું એકત્વસ્વરુપ પ્રાપ્ત થતાં કોઈ અદ્ભુત – આશ્ચર્યકારી
મોક્ષનો મંગળ મહોત્સવ જાણે થતો હોય
! મારા ચૈતન્યમાં જાણે
અનંતા અરિહંત અને સિદ્ધ ભગવંતો પધારીને મને આનંદિત કરતા
હોય
! એવો કોઈ અદ્ભુત આનંદ – ઉલ્લાસ થતો હતો. અનુભવ
વખતે તો એ આનંદ – ઉલ્લાસ કે અરિહંતોની પધરામણી – એવો
કોઈ ભેદભાવ પણ ન હતો. ચૈતન્યની અનુભૂતિમાં અભેદપણે
પંચપરમેષ્ઠી ભગવંતો પણ સમાયેલા જ હતા. ત્યાં ન કોઈ વિકલ્પ
હતો, ન કોઈ ઉલ્લાસની વૃત્તિનો ભાવ હતો, માત્ર ચૈતન્યની
શાંતપરિણતિ, – નિર્વિકલ્પ પરિણતિ, – અભેદ પરિણતિ
આત્મામાં પરિણમતી હતી. તે અનુભૂતિમાં અરિહંતો – સિદ્ધો પણ
સાક્ષાત્ થયા, – એમનું જેવું સ્વરુપ છે તેવું સ્વરુપ સાક્ષાત થયું,
એટલે જાણે આહા
! મારા આત્મામાં સદાય અરિહંતો બિરાજી જ
રહ્યા છે. સિદ્ધો પણ મારા આત્મામાં સદા વસી જ રહ્યા છે;
પંચપરમેષ્ઠીને મારા આત્માથી બહાર ક્યાંય મારે જોવા જવું પડે –
એમ છે જ નહીં. ખરી અરિહંતોની ઓળખાણ, સિદ્ધભગવંતોની
આત્મામાં પધરામણી, કુંદકુંદસ્વામી જેવા ધર્માત્મા પુરુષોની સાચી
ઓળખાણ આ અનુભૂતિમાં થઈ. ।।૮।।