Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 139 of 237
PDF/HTML Page 152 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૩૯
સ્વરુપ જિનદેવના ઉપદેશ અનુસાર, જ્ઞાનીની અનુભૂતિ અનુસાર
શાસ્ત્રના અભ્યાસ અનુસાર જીવને પોતાના જ્ઞાનમાં જાણવામાં આવતું
હતું; ‘આ જ્ઞાન, અને આ રાગ’ એમ બંનેને જાણીને, તેમાં જ્ઞાનનો પક્ષ
હતો; – જ્ઞાનનો પક્ષ એટલે શું
? જ્ઞાનમાં જે કંઈક અંશે પણ શાંતિ
દેખાતી તે શાંતિ દેખાતી તે શાંતિ પોતાને ઇષ્ટ અને વહાલી લાગતી, ને
રાગમાં કંઈ પણ શાંતિ દેખાતી ન હતી, કે રાગ પોતાને વહાલો લાગતો
ન હતો. આમ પહેલેથી જ રુચિની દિશા પલટી ગઈ, પક્ષ ફરી ગયો,
રાગનો પક્ષ છૂટી સ્વાભાવિક ભાવોનો પક્ષ થયો; તે પક્ષનું ઘોલન
કરતાં – કરતાં, જ્ઞાનની વૃદ્ધિ કરતાં – કરતાં અને રાગનો રસ તોડતાં
– તોડતાં, અંતે બંને ધારા અત્યંત ભિન્ન, એકદમ જુદી વેદનમાં આવી
ગઈ અને સાક્ષાત્ સ્વસંવેદન થયું, ત્યાં નિર્વિકલ્પતા થઈ ગઈ.
પહેલાં જે જ્ઞાનનું લક્ષ હતું એટલે કે ‘હું જ્ઞાન.....હું જ્ઞાન’
એવો જે ભાવ અંદર ઘૂંટાતો હતો, તે જ્ઞાનની અંદર અનંત ગુણનો
પક્ષ હતો એટલે કે અનંત ગુણો એ જ્ઞાનના પક્ષમાં આવીને ઊભા
રહેતા હતા; જ્ઞાનના સ્વાદની સાથે અનંત ગુણોનો સ્વાદ અંદર
દેખાતો હતો, વેદનમાં આવતો હતો; અને જે રાગાદિ – વિકલ્પો –
અશાંતિ – ક્રોધાદિ ભાવો – પરભાવો એ બધાય ભાવો જ્ઞાનના
વેદનથી એકદમ દૂર, એકદમ જુદા અને વિરુદ્ધ સ્વભાવવાળા
એટલે કે વિપક્ષવાળા હતા. આ રીતે આત્માની જે અનુભૂતિ થઈ
તેમાં બંને ભાવોનું સર્વથા ભિન્નપણું તો થયું, પણ બંનેને ભિન્ન
કરીને અનુભૂતિ જ્ઞાનના પક્ષમાં રહી ગઈ અને રાગનો તેમાં
અભાવ થઈ ગયો. – આમ એક જ જ્ઞાનસ્વરુપના જ પક્ષનું લક્ષ
રહ્યું – એની જ અનુભૂતિ રહી, બીજાની નાસ્તિ તેમાં આવી ગઈ.
અને, આ રીતે અનુભૂતિ થતાં પર ભાવોથી અત્યંત
ભિન્ન એવું, અત્યંત સુંદર મારું પોતાનું મજાનું સ્વતત્ત્વ મને પ્રાપ્ત
થયું. ।।૧૦।।