હું જ સ્વયં છું નિજાનંદપદ ધામ જો.
સ્વયં સુખી ને તૃપ્તપણે હું વર્તતો,
દીસે નહીં કો અવર મુજ આરામ જો...
અનુભૂતિમાં નહીં આવેલો, એવા આનંદસ્વરુપે મારો પોતાનો
આત્મા જ પરિણમનરુપ થઈ ગયો, એટલે હું પોતે જ મારા
નિજાનંદપદનું ધામ છું – એમ પોતે પોતાને અનુભવવા લાગ્યો.
ત્યારે હું પોતે સુખી હતો; – સુખ એટલે હું જ. સુખ નામની કોઈ
બીજી વસ્તુ નથી, આત્માથી કોઈ જુદું સુખ નથી. – આમ સ્વયં
પોતે પોતાને સુખી દેખી – અનુભવી ને પોતામાં તૃપ્ત થયો કે
અહો
અસંતોષ ન રહ્યો કે હવે મારે કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું; કે
મારે બીજે ક્યાંયથી લેવાનું રહ્યું, બીજા કોઈની કાંઈ આધીનતા
કરવાની રહી – એવો કોઈ અતૃપ્તિ ભાવ રહેતો નથી. મારું આટલું
મજાનું ચૈતન્યતત્ત્વ – એ જ એક પોતાનો આરામ, એ જ આનંદથી
ખીલેલો બગીચો, એ જ અનંત ગુણોના ચૈતન્ય ભાવોથી ભરેલું
વિશ્રામનું સ્થાન; પોતામાં જ પોતે સ્થિર થઈને રહી ગયો કે વાહ,
આ મારું ઘર! આ મારું રહેવાનું સ્થાન! ગમે ત્યાં હોઉં – જગતના
છે; એમાં જ હું હવે સદા કાળ રહીશ. એનાથી બહાર જગતમાં