Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 14.

< Previous Page   Next Page >


Page 144 of 237
PDF/HTML Page 157 of 250

 

background image
૧૪૪ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન કહો, એને જ ભવનો અંત કે મોક્ષનો માર્ગ કહો; એ
જ પંચપરમેષ્ઠી ભગવંતોની કૃપા છે ને એ જ આત્માનું કલ્યાણ છે.
અહો, આત્મા ધન્ય બન્યો.....તે આવા ભાવથી ધન્ય બન્યો. ।।૧૩।।
(૧૪)
અહા, સ્પષ્ટ કેવું છે વેદન આત્મનું,
સ્થંભ કરતાંયે દીસે અતિ સાક્ષાત્ જો.
ઇન્દ્રિય – સંબંધ છોડી ચાલ્યું જ્ઞાન આ,
એ તો પહોંચ્યું અતીન્દ્રિય આનંદધામ જો.....
બસ, જે જ્ઞાને નક્કી કર્યું હતું કે મારે મારો આત્મા પામવો
જ છે, મારા આત્માની શાંતિ મારે પામવી જ છે – એ જ્ઞાન
અંતરમાં વળ્યું; અને જ્યાં સ્વસંવેદન થયું ઈ અતીન્દ્રિયજ્ઞાનમાં
થયેલા સ્વસંવેદનની શી વાત
! એ સ્વસંવેદન એટલું બધું સ્પષ્ટ છે,
એટલું બધું ચોખ્ખું, નિઃશંક અને આનંદથી ભરેલું છે કે જેમ
પ્રકાશમાં ઊભેલો થાંભલો આંખથી ચોખ્ખો દેખાય છે એનાથી પણ
વધારે ચોખ્ખો, અતીન્દ્રિયજ્ઞાનથી આત્મા પોતાના વેદનમાં સ્પષ્ટ
આવે છે. – કેમકે આંખથી થતું જ્ઞાન તો પરોક્ષ – પરાધીન છે
ત્યારે સ્વસંવેદનમાં થતું જ્ઞાન તો પ્રત્યક્ષ, અતીન્દ્રિય, સ્વાધીન છે;
જેમાં ઇન્દ્રિયની – આંખની કોઈની મદદ નથી, જેમાં રાગનું
આલંબન નથી, – એ જ્ઞાનની તાકાતની શી વાત
! ઇંદ્રિયજ્ઞાન,
પરાધીન, રાગવાળું, બહાર જોનારું, એની તાકાત કરતાં અતીન્દ્રિય
જ્ઞાનની તાકાત કોઈ અપરંપાર ઘણી ઘણી વધારે છે.
– એવું જ્ઞાન જ્યારે આત્માને દેખવા માટે અંદર ચાલ્યું,
ઘોલન કરતાં – કરતાં અનુભૂતિ તરફ આત્માનો રસ ઉપડયો, ત્યારે