સંબંધ એણે તોડી નાંખ્યો. – ખબર પણ ન પડી, એટલે કે
વિચારમાં પણ ન આવ્યું કે અત્યારે ઇન્દ્રિયોનો સંબંધ હતો ને છૂટી
ગયો
ઇન્દ્રિયોનું અવલંબન એકદમ છોડી દીધું.....છૂટી ગયું. અને એ
જ્ઞાન ઇંદ્રિયોથી છૂટીને, અંતરમાં દોડયું; પહેલાં ઇદ્રિયોના
અવલંબનમાં બંધાયેલું હતું એટલે દોડી શકતું ન હતું. (અંતર્મુખ
થઈ શકતું ન હતું). હવે જ્યાં ઇન્દ્રિયોનું બંધન તોડી નાંખ્યું ત્યાં
જ્ઞાન જોરદાર થઈ, છૂટું પડી, અતીન્દ્રિય થઈ અંતરસ્વરુપમાં
દોડયું, સ્વભાવમાં ઊતર્યું. અતીન્દ્રિય થયા વગર જ્ઞાન પોતાના
સ્વભાવ તરફ ચાલી શકતું ન હતું; હવે તો સ્વસંવેદનમાં એકદમ
અતીન્દ્રિય થઈ પોતે પોતાના સ્વભાવને પકડી લીધો. આવું આ
જ્ઞાન પોતાના અતીન્દ્રિયધામમાં પહોંચી ગયું.
મશગુલ થઈ ગયું. ત્યાં આ આનંદ, ને આ હું – એવો દ્વૈતનો
વિકલ્પ પણ જ્ઞાનમાં રહ્યો નહિ. ઉપયોગ નિર્વિકલ્પ થઈને આનંદમાં
તન્મય થઈ ગયો. – આવી અનુભૂતિ કેટલી ઊંડી
– એમ અલ્પ સમયની અનુભૂતિમાં પણ અપાર ઊંડપને લીધે,
ઘણા – ઘણા લાંબા કાળની અનુભૂતિ હોય – જાણે અનંત કાળથી
અનુભૂતિમાં જ આત્મા બેઠો હોય
આત્માને માટે ન રહી. હવે તો આ આત્મારામ પોતાના આનંદમય