નિજઘર છોડીને સંસારરુપી પર ઘરમાં આ આત્મા હવે કદી નહીં
જાય.
કરનેકી યહ બાત હૈ. ઐસી અનુભૂતિ કરનેસે આત્માકો મહાન
આનંદ હોતા હૈ; આત્માકા કલ્યાણ.....આત્માકી શાંતિ.....આત્માકી
ઐસી અનુભૂતિમેં હી હૈ. ।।૧૪।।
નીરખવા પોતે પોતાનું રુપ જો;
અદ્ભુત મહિમા આવ્યો જ્યારે લક્ષમાં,
કેમ રહે પછી ક્ષણ પણ એક્કે દૂર જો.....
છેલ્લે, એટલે કે અષાડ વદ ૭ ના દિવસે અનુભૂતિ કરવા માટે
જ્યારે આ આત્મા બેઠો હતો.....ત્યારે ચૈતન્યતત્ત્વનો વિચાર કરતાં,
પરભાવોથી ભિન્ન જ્ઞાનીની જ્ઞાનચેતનાનું લક્ષ કરતાં સહજપણે
આત્મદેવના ભાવો પોતાના ચૈતન્યસ્વભાવ તરફ ઉલ્લસ્યા; –
એવા ઉલ્લસ્યા.....એ ઉલ્લાસથી એવી મજા આવી – એવી શાંતિ
આવી.....કે ઝડપથી એવી શાંતિસ્વરુપ પોતાનું રુપ જોવા માટે
પરિણામ એકદમ સ્થિર – શાંત થઈને અંદરમાં ઊંડે ઊંડે જવા
લાગ્યા.