Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 147 of 237
PDF/HTML Page 160 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૪૭
– જેમ જેમ પરિણામ અંતરમાં ઊંડા જવા લાગ્યા તેમ તેમ
આત્મતત્ત્વનો મહિમા કોઈ અદ્ભુત.....અદ્ભુત, વધારે ને વધારે
અદ્ભુત અંતરમાં લક્ષગત થવા લાગ્યો. અહો, જ્યાં ચૈતન્યનો
આવો મહિમા લક્ષમાં આવી જાય, – પછી મુમુક્ષુજીવ એક ક્ષણ
પણ એનાથી દૂર કેમ રહે
? એટલે પરિણામ દોડયા એકદમ
અંતરમાં, – આ પરિણામ અંતરમાં દોડયા એ વખતે એ
પરિણામની અંદર જ ત્રણ પ્રકારનાં કરણ થઈ ગયા.....હવે એ
વખતે ઉપયોગ તો અંદરમાં જ જતો હતો, એટલે ‘આ ત્રણ કરણ
થયા’ એવું કંઈ ભેદનું લક્ષ હોય નહીં; પણ પછી ખ્યાલ આવી ગયો
કે આ સ્થિતિમાં જ્યારે ચૈતન્ય તરફ ઉપયોગ જતો હતો એ
વખતના કોઈ કાળમાં એ ત્રણ કરણ સમાઈ ગયા હતા. એ
પરિણામમાં ચૈતન્યરસની કોઈ પરમ સૂક્ષ્મતા હતી; એ
ચૈતન્યરસની અંદર જ ત્રણ કરણ હતા, – એટલે સમ્યક્ત્વના ત્રણ
કરણ એ કોઈ રાગરુપ નથી પણ ચૈતન્યને રાગથી ભિન્ન પકડવાની
ક્રિયા – એવી ક્રિયા કરવાનું નામ જ ત્રણ કરણ છે. – એવો ભાવ
અંતરમાં સ્પષ્ટ દેખાય છે.
જ્યાં ચૈતન્યરસ પોતાનો પોતામાં દેખાયો, એ રસની શાંતિ
પોતામાં આવવા લાગી ત્યાં પછી સાચી શાંતિનો અભિલાષી એક
ક્ષણ પણ એનાથી દૂર કેમ રહે
? – ન રહે. એટલે ઉપયોગ
એકદમ ઝડપથી અંતરમાં – આત્મામાં વળી ગયો, નિર્વિકલ્પ થઈ
ગયો, અપૂર્વ સ્વાનુભૂતિ થઈ ગઈ; કોઈ પરમ આનંદ, મહાન
શાંતિ, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, મોક્ષમાર્ગ – બધુંય એક જ ક્ષણમાં
અંદરમાં આવી ગયું.
અહો, એ ક્ષણ! એ અનુભૂતિ! એના ભાવો! એની શી
વાત!! એને માટે પહેલાં ચૈતન્યનો અપાર – અપાર મહિમા લક્ષમાં
આવવો જોઈએ. ચૈતન્યનો મહિમા જેટલો છે તેટલો બરાબર