Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 16.

< Previous Page   Next Page >


Page 149 of 237
PDF/HTML Page 162 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૪૯
(૧૬)
ગંભીરતા કેવી રે આત્મ સ્વરુપની,
પાર ન જેનો રાગ વડે પમાય જો;
અનુભૂતિ જે જાગી ચૈતન્ય સ્વાદની,
એણે લીધો નિજ સ્વરુપનો અંત જો.....
આત્મસ્વરુપ એટલું અગાધ અને ગંભીર છે કે રાગના
અભ્યાસ વડે, રાગસહિત એવા જ્ઞાનના અભ્યાસ વડે પણ એનો
પાર પમાતો ન હતો, પણ જ્યાં ચૈતન્યસ્વાદ રાગથી છૂટો પડીને
અંતરમાં અનુભૂતિ થઈ ત્યાં એ અનુભૂતિ વડે ચૈતન્યના પરમ
ગંભીર સ્વરુપનો પણ અંત પામી ગયો એટલે કે એનો પાર પામી
ગયો; એનું જેવું સ્વરુપ હતું એવું પોતાનું પોતામાં પરિપૂર્ણપણે
દેખવામાં જાણવામાં ને સ્પષ્ટ અનુભવમાં આવી ગયું. એ
આત્મસ્વરુપની ગંભીરતા અહા, વાણીમાં કેમ આવે
? એ
અનુભૂતિમાં જ સમાયેલી સ્પષ્ટ દેખાય, પણ વાણીમાં કહીએ ત્યારે
એમ લાગે કે અરે
! અનુભૂતિ કેટલી ઊંડી છે ને વાણી કેટલી સ્થૂળ
છે? રાગના વિચારમાં લઈએ ત્યારે પણ, જેવું અનુભૂતિમાં હતું
એવું તો તેમાં નથી આવતું; ઉપયોગમાં જ આવી શકે – અને તે
પણ સ્વસન્મુખ થયેલા ઉપયોગમાં આવી શકે. – એવું
આત્મસ્વરુપ ઘણું જ મહાન, ઘણું દિવ્ય, ઘણું સુંદર, ઘણું પવિત્ર છે.
એક વખત આત્મા સ્વસંવેદનમાં સાક્ષાત્ આવી ગયો પછી,
નિર્વિકલ્પ અનુભૂતિરુપ ઉપયોગ ભલે ન હોય તો પણ ઉપયોગ
રાગથી છૂટો પડેલો તો છે જ, તે ઉપયોગ એ સ્વસંવેદનમાં આવેલા
આત્માને ભૂલતો નથી; એ અનુમાનથી, વિચારથી, શાસ્ત્રના
અભ્યાસથી પણ, પોતે જાણેલી વસ્તુને ફરીફરીને યાદ કરી શકે છે.
।।૧૬।।