પાર ન જેનો રાગ વડે પમાય જો;
અનુભૂતિ જે જાગી ચૈતન્ય સ્વાદની,
એણે લીધો નિજ સ્વરુપનો અંત જો.....
પાર પમાતો ન હતો, પણ જ્યાં ચૈતન્યસ્વાદ રાગથી છૂટો પડીને
અંતરમાં અનુભૂતિ થઈ ત્યાં એ અનુભૂતિ વડે ચૈતન્યના પરમ
ગંભીર સ્વરુપનો પણ અંત પામી ગયો એટલે કે એનો પાર પામી
ગયો; એનું જેવું સ્વરુપ હતું એવું પોતાનું પોતામાં પરિપૂર્ણપણે
દેખવામાં જાણવામાં ને સ્પષ્ટ અનુભવમાં આવી ગયું. એ
આત્મસ્વરુપની ગંભીરતા અહા, વાણીમાં કેમ આવે
એમ લાગે કે અરે
પણ સ્વસન્મુખ થયેલા ઉપયોગમાં આવી શકે. – એવું
આત્મસ્વરુપ ઘણું જ મહાન, ઘણું દિવ્ય, ઘણું સુંદર, ઘણું પવિત્ર છે.
રાગથી છૂટો પડેલો તો છે જ, તે ઉપયોગ એ સ્વસંવેદનમાં આવેલા
આત્માને ભૂલતો નથી; એ અનુમાનથી, વિચારથી, શાસ્ત્રના
અભ્યાસથી પણ, પોતે જાણેલી વસ્તુને ફરીફરીને યાદ કરી શકે છે.
।।૧૬।।