અને ચૈતન્યરસનું ઘોલન કરે, એ ઘોલન કરતાં – કરતાં એનો
અનુભવ થાય છે, – એ જ એનો ઉપાય છે : –
પરમ ઘોલન જ્ઞાન જ રસ ઘૂંટાય જો.
જ્ઞાન – જ્ઞાન બસ જ્ઞાન – જ્ઞાન હું એક છું,
અનંત ભાવો જ્ઞાનમહીં ઘોળાય જો.....
અંદર ચાલતું હોય છે. રાગનો રસ – કે જેમાં અશાંતિ છે એ
રાગનો રસ ઘૂંટવામાં એને મજા આવતી નથી, એમાં એનો ઉપયોગ
સંતોષ પામતો નથી, એટલે એનાથી ઉપયોગ ઊંચો ને ઊંચો રહે
છે; જેમ મન અમુક કામમાંથી ઊંચું થઈ જાય પછી એ કામમાં ચોંટે
નહિ, એમ એનો ઉપયોગ રાગાદિ અશાંતિમાંથી – પર ભાવોમાંથી
ઊઠી ગયો, પછી હવે એનું ઘોલન એને રહેતું નથી. એના
ઉપયોગના ઘોલનમાં, એની મુમુક્ષુતાના ઘોલનમાં એક પોતાનું
આત્મતત્ત્વ – કે જેમાં મારી શાંતિ ભરી છે – જેમાં મને સુખ લાગે
છે – એ જ મારું તત્ત્વ – તેને હું કેમ અનુભવું, ઈ તત્ત્વ કેવું છે
લગનતાથી, ઉદાસીનતાથી, વૈરાગ્યથી, ઉત્સાહથી, પરમ પરમ
આદરભાવથી પોતાના ચૈતન્યરસનું ઘોલન, એનું શ્રવણ કરતાં કોઈ
મહાન મજા આવે, જ્ઞાની પાસેથી એનું વર્ણન સાંભળતાં આત્મા
એની પ્રાપ્તિ માટે ઉલ્લસી જાય. અંતરના વિચારમાં પણ વારંવાર