રાત, મહિનાઓ સુધી કે વર્ષો સુધી પણ ઘૂંટીઘૂંટીને એવું પાકું કરે
કે અંતે એની અનુભૂતિ થાય જ.
હોય, ક્યાંય પણ સુખ દેખાતું હોય તો એને પોતાના આત્માના
ઘોલનમાં દેખાય છે; બીજે ક્યાંય શાંતિનો કોઈ અંશ, શાંતિની કોઈ
ગંધ એને દેખાતી નથી, એટલે એનું ઘોલન એના ઉપયોગમાં કેમ
ટકે
સંતોએ મારા ઉપર કૃપા કરી કરીને મને વારંવાર એ સમજાવ્યું,
વારંવાર મને એનો અનુભવ કરવાનું કહ્યું; હવે મને એ બહુ જ
ગમ્યું, બહુ જ એમાં મજા આવી; બસ, તો હવે હું એનો અનુભવ
કરું – કરું....એમ ખૂબ જ ઘોલન ચાલતું હતું, વર્ષોથી
ચાલતું.....છેલ્લા કાળમાં તો ખૂબ જ, અતિશય ઘોલન ચાલતું;
ગિરનારતીર્થની યાત્રા વખતે, બીજા અનેક તત્ત્વના પ્રસંગોમાં, અનેક
વૈરાગ્યના પ્રસંગોમાં, સંસારના પ્રસંગોમાં, ચૈતન્યની સાધનાના
પ્રસંગોમાં, એમ સર્વ પ્રસંગોમાં ચૈતન્યરસની પુષ્ટિ કરતાં – કરતાં,
એવી પુષ્ટિની પરાકાષ્ટા થઈ કે એક ક્ષણે ચૈતન્યરસનો સ્વાદ,
સીધેસીધો સ્વાદ મેં ચાખ્યો.