પોતામાં એવું ઘૂંટાય છે – એવું એકાગ્ર થાય છે કે અતીન્દ્રિય
અનુભૂતિ કરે છે, અને એમાં રાગનું વેદન છૂટું પડી જાય છે. ।।૧૭।।
રાગ તણા સૌ રસડા છૂટી જાય જો;
જ્ઞાનમગ્ન થતાં જે શાંતિ જાગતી,
વિકલ્પો ત્યાં સરવે ભાગી જાય જો.....
શાંતિ આવે છે કે જ્યાં કોઈ વિકલ્પને અવકાશ રહેતો નથી. એ જ્ઞાનમાં
કેવી શાંતિ હોય તે ૧૯ મા પદમાં બતાવ્યું છે. ।।૧૮।।
ઘોલન કરવા માટે આ પદરચના છે. આ રચનાનો શરુઆતનો
મોટો ભાગ, શ્રીમદ્ રાજચંદ્રના જન્મધામ વવાણીયાક્ષેત્રમાં ‘પોષ
સુદ પૂનમ’ના રોજ લખાયેલ છે; બીજો કેટલોક ભાગ સોનગઢ –
અનુભૂતિધામમાં લખાયેલ છે; અને બાકીના ભાગની પૂર્ણતા
ગીરનાર – સિદ્ધક્ષેત્રમાં અત્યંત વૈરાગ્યભાવનાના વાતાવરણમાં
થયેલી છે – જેઠ સુદ ત્રીજ વીર સં. ૨૪૯૯ના રોજ, અને પછી
આ પદોનો ભાવાર્થ સોનગઢમાં વીર નિર્વાણના અઢીહજારવર્ષીય
ઉત્સવ દરમિયાન લખાયેલ છે. તેમાં ૧૮ શ્લોક આપણે ભાવનારુપે
બોલ્યા, હવે ૧૯ મા શ્લોક દ્વારા સ્વાનુભૂતિનો મહિમા સાંભળો