Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 18.

< Previous Page   Next Page >


Page 152 of 237
PDF/HTML Page 165 of 250

 

background image
૧૫૨ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
જ્ઞાનરસના ઘોલનથી જ આત્માની અનુભૂતિ થાય છે. જ્ઞાન પોતે
પોતામાં એવું ઘૂંટાય છે – એવું એકાગ્ર થાય છે કે અતીન્દ્રિય
અનુભૂતિ કરે છે, અને એમાં રાગનું વેદન છૂટું પડી જાય છે. ।।૧૭।।
(૧૮)
જ્ઞાનસ્વાદને ફરી ફરીને ઘૂંટતાં.....
રાગ તણા સૌ રસડા છૂટી જાય જો;
જ્ઞાનમગ્ન થતાં જે શાંતિ જાગતી,
વિકલ્પો ત્યાં સરવે ભાગી જાય જો.....
અહો, જ્ઞાનનો સ્વાદ રાગથી જુદો, અતીન્દ્રિય સ્વાદ, એને ઘૂંટતાં
– ઘૂંટતાં રાગનો રસ છૂટી જાય છે અને જ્ઞાનની સાથે કોઈ એવી અપૂર્વ
શાંતિ આવે છે કે જ્યાં કોઈ વિકલ્પને અવકાશ રહેતો નથી. એ જ્ઞાનમાં
કેવી શાંતિ હોય તે ૧૯ મા પદમાં બતાવ્યું છે. ।।૧૮।।
(અહો, સ્વાનુભૂતિનું વર્ણન ચાલે છે. આ આત્માને કોઈ
અપૂર્વ આનંદની અનુભૂતિ થઈ; તે આનંદની અનુભૂતિનું વારંવાર
ઘોલન કરવા માટે આ પદરચના છે. આ રચનાનો શરુઆતનો
મોટો ભાગ, શ્રીમદ્ રાજચંદ્રના જન્મધામ વવાણીયાક્ષેત્રમાં ‘પોષ
સુદ પૂનમ’ના રોજ લખાયેલ છે; બીજો કેટલોક ભાગ સોનગઢ –
અનુભૂતિધામમાં લખાયેલ છે; અને બાકીના ભાગની પૂર્ણતા
ગીરનાર – સિદ્ધક્ષેત્રમાં અત્યંત વૈરાગ્યભાવનાના વાતાવરણમાં
થયેલી છે – જેઠ સુદ ત્રીજ વીર સં. ૨૪૯૯ના રોજ, અને પછી
આ પદોનો ભાવાર્થ સોનગઢમાં વીર નિર્વાણના અઢીહજારવર્ષીય
ઉત્સવ દરમિયાન લખાયેલ છે. તેમાં ૧૮ શ્લોક આપણે ભાવનારુપે
બોલ્યા, હવે ૧૯ મા શ્લોક દ્વારા સ્વાનુભૂતિનો મહિમા સાંભળો
!)