સર્વે ક્લેશો એનાથી અતિ દૂર જો.....
ભવભ્રમણ છૂટયા ને ડંકા વાગિયા,
મોક્ષપુરીના સુખડા દીસે નજીક જો.....
વેદનમાં સંસારનો કોઈ રસ, કોઈ નામનિશાન કેમ હોય
પહેલાં તે ન જોયું હોય, પણ નજીક જઈએ ને મંદિરના ઘંટ
સંભળાય ત્યાં આત્મા ઉલ્લાસમાં આવી જાય કે અહો, મંદિર
નજીકમાં આવી ગયું; એમ જ્યાં આત્માનું સ્વસંવેદન થયું ત્યાં
સ્વાનુભૂતિના આનંદમાં મોક્ષપુરીના મંદિરના સુખના ડંકા
‘ધણણ....ધણણ’ કરતાં અંદર સ્પષ્ટ સંભળાયા, કે વાહ
ઘંટનો નાદ ઇન્દ્રિયજ્ઞાન દ્વારા કાને પડી ગયો તેમ મોક્ષસુખનો
નમૂનો અતીન્દ્રિયજ્ઞાન દ્વારા, ચૈતન્યના અનહદ નાદરુપી ઘંટ દ્વારા,
અંદર આત્માના સ્વસંવેદનમાં આવી જાય છે.