Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 23.

< Previous Page   Next Page >


Page 157 of 237
PDF/HTML Page 170 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૫૭
(૨૩)
અદ્ભુત કેવો ચૈતન્યરસ આ આત્મનો,
સર્વે ક્લેશો એનાથી અતિ દૂર જો.....
ભવભ્રમણ છૂટયા ને ડંકા વાગિયા,
મોક્ષપુરીના સુખડા દીસે નજીક જો.....
અહા, આ ચૈતન્યનો રસ.....જે ઘૂંટતા – ઘૂંટતા પણ
સંસારના ક્લેશ દૂર થઈ જાય છે.
‘દૂર થઈ જાય છે ને!’ ...‘હા.’
કાંઈ યાદ આવે છે દુનિયાના ક્લેશ? ‘ના’
– આમ સંસારના ક્લેશથી દૂર જઈને, ચૈતન્યરસને ઘૂંટતાં
કોઈ ચિંતા રહેતી નથી. એ ચૈતન્યરસનું જે સાક્ષાત્ વેદન થયું...એ
વેદનમાં સંસારનો કોઈ રસ, કોઈ નામનિશાન કેમ હોય
?
‘‘વાહ!’’ મોક્ષનું મંદિર હવે આ નજીક જ દેખાય છે....કેમકે
સુખના ઘંટ સંભળાય છે. જેમ ક્યાંક મહાન તીર્થમાં જતા હોઈએ,
પહેલાં તે ન જોયું હોય, પણ નજીક જઈએ ને મંદિરના ઘંટ
સંભળાય ત્યાં આત્મા ઉલ્લાસમાં આવી જાય કે અહો, મંદિર
નજીકમાં આવી ગયું; એમ જ્યાં આત્માનું સ્વસંવેદન થયું ત્યાં
સ્વાનુભૂતિના આનંદમાં મોક્ષપુરીના મંદિરના સુખના ડંકા
‘ધણણ....ધણણ’ કરતાં અંદર સ્પષ્ટ સંભળાયા, કે વાહ
! મોક્ષનું
સુખ એકદમ નજીક આવ્યું....એનો નમૂનો આવી ગયો. જેમ ઓલા
ઘંટનો નાદ ઇન્દ્રિયજ્ઞાન દ્વારા કાને પડી ગયો તેમ મોક્ષસુખનો
નમૂનો અતીન્દ્રિયજ્ઞાન દ્વારા, ચૈતન્યના અનહદ નાદરુપી ઘંટ દ્વારા,
અંદર આત્માના સ્વસંવેદનમાં આવી જાય છે.
આ ચૈતન્યરસની ભાવના ભાવતાં સંસારના ક્લેશો –