પંચપરમેષ્ઠી ભગવંતોની આજ્ઞા છે, તે જ પંચપરમેષ્ઠી
ભગવંતોનો ઉપદેશ છે, તે જ આત્માનું ઇષ્ટ છે, ને તે જ
મુમુક્ષુનું કર્તવ્ય છે. ।।૨૩।।
દીઠું અદ્ભુત આશ્ચર્યમય સુખધામ જો;
નાટકમાં છૂટયા રે ભેષ ભવ – દુઃખનાં,
ધાર્યો સાચો ચિદાનંદ મૂળ ભેષ જો...
કેટલાક ખરાબ વેષ હોય, કેટલાક દુઃખના વેષ હોય, તેમ કેટલાક
સારા – સુખના વેષ હોય, કોઈ સાધુના વેષ હોય, કોઈ વૈરાગ્યના
વેષ હોય, કોઈ રાજાના કે ભગવાનના વેષ હોય, એમ અનેક
જાતના વેષ નાટકમાં હોય છે; તેમ આ ચૈતન્યતત્ત્વમાં પરિણામોનું
જે વિચિત્ર નાટક ચાલી રહ્યું છે તે નાટકમાં, પહેલાં અજ્ઞાનદશામાં
અનુભૂતિ ન થઈ ત્યાંસુધી તો દુઃખનાં જ નાટક હતા, દુઃખનાં જ
વેષ હતાં, દુઃખનું જ વેદન હતું, હવે જ્યાં સાચી આત્મઅનુભૂતિ
થઈ, સંતોના પ્રતાપે સુખનો સ્વાદ આવ્યો, ત્યાં આખો વેષપલટો
થઈ ગયો. જેમ એક વેષ ભીખારીનો હોય ને એ જ માણસ ક્ષણમાં
જ બીજા વેષમાં રાજા થઈને આવે, તે આખોય પલટી જાય, તેમ આ
આત્માને સ્વાનુભૂતિ થતાં ભીખારી જેવા ભવદુઃખનાં વેષ પલટી