મહારાજા, પોતાના સર્વોત્કૃષ્ટ ચૈતન્યરાજાના સાચા વેષમાં પ્રગટ
થયા : મારો સાચો વેષ, મારું અસલી સ્વરુપ તો આ જ છે.
નાટકમાં એકવાર ભીખારીનો વેષ હતો પણ ખરેખર તો હું રાજા
છું, આ મારો સ્વાભાવિક વેષ છે; કોઈ બનાવટી, ઉપરથી પહેરેલો
આ વેષ નથી. – આમ પોતાની ચૈતન્યઅનુભૂતિ થતાં પોતાના
સાચા વેષનું – પોતાના સાચા સ્વરુપનું અંતરમાં જ્ઞાન થાય છે; ને
અંતરના સાચા વેષનું જ્ઞાન થયા પછી ઉપરના ખોટા ભીખારી જેવા
વેષને એ જીવ ફરીને કદી ધારણ કરતો નથી.
છે, એકત્વમાં મહાન આનંદ છે, ને એકત્વમાં ચૈતન્યવૈભવનો
એટલો બધો અદ્ભુત ઢગલો દેખાય છે કે આત્મા આશ્ચર્ય પામી
જાય છે.....આશ્ચર્યથી પણ વધારે, એટલે કે આશ્ચર્યથી પણ પાર
એવી કોઈ અદ્ભુત ભૂમિકા એના અંતરમાં પ્રગટી જાય છે. એ
સ્વાનુભૂતિમાં જે આનંદ છે એ તો આશ્ચર્યથી પણ પાર છે, એટલે
કે ત્યાં આશ્ચર્ય કરવાપણું પણ રહેતું નથી. જેમ કેવળી ભગવાનને,
બારમાગુણસ્થાને વીતરાગતા થયા પછી કેવળજ્ઞાન થતાં જગતમાં
કદી નહિ જોયેલા એવા અનંતા પદાર્થો કેવળજ્ઞાનમાં દેખાય છે, પણ
ત્યાં આશ્ચર્યનો કોઈ અવકાશ નથી.....કે અહો, મેં આવું દેખ્યું
આશ્ચર્યથી પણ કોઈ પાર.....પાર થઈ ગઈ છે. એવી જ
સ્વાનુભૂતિની ભૂમિકા – નિર્વકલ્પદશા, એમાંય આશ્ચર્યને કોઈ
અવકાશ નથી; આશ્ચર્યથી પણ પાર, આત્મા પોતે શાંતિના બરફમાં