Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 163 of 237
PDF/HTML Page 176 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૬૩
– આમ આખો પલટો થઈ જાય છે.
જેમ એક ભવ પૂરો થઈને બીજો કોઈ અદ્ભુત નવો ભવ
ધારણ કરે, – છતાં ત્યાં તો સંસારના ચારે ભવો એકબીજાની
જાતના છે જ્યારે આ તો અનાદિકાળના મિથ્યા – વિપરીતભાવો
દૂર કરીને ચૈતન્યનો એક અદ્ભુત નવો જ આનંદમય અવતાર
આત્માએ ધારણ કર્યો. આત્મા પોતે જ આનંદસ્વરુપે
અવતર્યો.....પરિણમ્યો. અહો, આવી સ્વાનુભૂતિ થઈ ત્યારે બસ
!
હવે મારું જીવન સુખી બન્યું.....સદા કાળને માટે આ આત્મા હવે
સુખી બન્યો, હવે સદાકાળ સુખથી હું મારા સ્વરુપમાં.....મારા
આત્મામાં પોતાથી જ તૃપ્ત – તૃપ્ત સંતુષ્ટ છું. – આમ પોતાના
આત્માની અનુભૂતિ થતાં પોતાને ખાતરી થઈ જાય છે. અરે,
અનાદિકાળથી અનંત ભવોમાં જે દુઃખ ભોગવ્યાં હશે એની તો શી
વાત
! પરંતુ આ એક ભવમાં પણ જીવે અનેક – અનેક પ્રકારનાં
દુઃખો ભોગવ્યાં છે; અનેક પ્રકારનાં સંકલ્પ – વિકલ્પો, અનેક
પ્રકારનાં માન – અપમાનનાં દુઃખો, અનેક પ્રકારનાં સંયોગ –
વિયોગનાં દુઃખો, – એવા ઘણાં ભયંકર દુઃખો – કે જેમાં નરક
જેવી વેદના પણ લાગતી હોય – એવા દુઃખો પણ જીવ ભોગવી
ચુક્યો છે, પણ જ્યાં સ્વાનુભૂતિ થઈ ત્યાં આખો આત્મા ધોવાઈ
ગયો; દુઃખ અને પાપનું નામનિશાન જ્યાં રહેતું નથી; એકલું
ચૈતન્યસુખ
! સુખમય જીવન જ છે.....અહો, હું સુખી છું, સુખ જ
મારું સ્વરુપ છે, હવે આ જગતમાં મારે માટે કાંઈ દુઃખરુપ છે જ
નહિ. આમ, સ્વાનુભૂતિ થતાં આત્માના આખા જીવનમાં એક
મહાન પરિવર્તન થઈ ગયું. ।।૨૫।।