જાતના છે જ્યારે આ તો અનાદિકાળના મિથ્યા – વિપરીતભાવો
દૂર કરીને ચૈતન્યનો એક અદ્ભુત નવો જ આનંદમય અવતાર
આત્માએ ધારણ કર્યો. આત્મા પોતે જ આનંદસ્વરુપે
અવતર્યો.....પરિણમ્યો. અહો, આવી સ્વાનુભૂતિ થઈ ત્યારે બસ
સુખી બન્યો, હવે સદાકાળ સુખથી હું મારા સ્વરુપમાં.....મારા
આત્મામાં પોતાથી જ તૃપ્ત – તૃપ્ત સંતુષ્ટ છું. – આમ પોતાના
આત્માની અનુભૂતિ થતાં પોતાને ખાતરી થઈ જાય છે. અરે,
અનાદિકાળથી અનંત ભવોમાં જે દુઃખ ભોગવ્યાં હશે એની તો શી
વાત
પ્રકારનાં માન – અપમાનનાં દુઃખો, અનેક પ્રકારનાં સંયોગ –
વિયોગનાં દુઃખો, – એવા ઘણાં ભયંકર દુઃખો – કે જેમાં નરક
જેવી વેદના પણ લાગતી હોય – એવા દુઃખો પણ જીવ ભોગવી
ચુક્યો છે, પણ જ્યાં સ્વાનુભૂતિ થઈ ત્યાં આખો આત્મા ધોવાઈ
ગયો; દુઃખ અને પાપનું નામનિશાન જ્યાં રહેતું નથી; એકલું
ચૈતન્યસુખ
નહિ. આમ, સ્વાનુભૂતિ થતાં આત્માના આખા જીવનમાં એક
મહાન પરિવર્તન થઈ ગયું. ।।૨૫।।