Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 26.

< Previous Page   Next Page >


Page 164 of 237
PDF/HTML Page 177 of 250

 

background image
૧૬૪ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
(૨૬)
આરાધાના જાગી છે આત્મ સ્વરુપની,
પરમેષ્ઠીનો મળ્યો સત્ય પ્રસાદ જો;
અનંત રહસ્યો ખુલ્યા આત્મસ્વરુપના,
પરમ ગંભીર ચૈતન્યરસ વેદાય જો.....
અહો, આત્મામાં આરાધના જાગી, પંચપરમેષ્ઠી ભગવાનનો
સાક્ષાત્ પ્રસાદ મળ્યો; ભગવાન કાંઈ ખાવાનું તો આપે નહિ,
ભગવાન પાસે તો અતીન્દ્રિય આનંદ છે, એવો આનંદ તે
ભગવંતોના પ્રસાદથી આ આત્માને મળ્યો, એ જ પંચપરમેષ્ઠીનો
સાચો પ્રસાદ છે. આત્માની સ્વાનુભૂતિમાં તેનો સ્વાદ આવે છે અને
આત્મસ્વરુપના અનંતા રહસ્યો તેમાં ખુલી જાય છે. ‘આત્મા કેવો
હશે
! એનું સુખ કેવું હશે! એની ગંભીરતા કેવી હશે! એનાં ગુણો
કેવા હશે! એની પર્યાયો કેવી હશે! એનું અનાદિઅનંતપણું કેમ
હશે?’ – એવા જે આત્માના અનંતા રહસ્યો, એ બધાય
સ્વાનુભૂતિમાં ખુલી જાય છે; અને ત્યાં એકલો પરમ ગંભીર
ચૈતન્યરસ પોતે પોતામાં એકલા – એકલા ઘૂંટાય છે. જેમ દરિયો
– એકલા અગાધ – અગાધ પાણીથી ભરેલો આખો દરિયો, એનું
પાણી પોતામાં ને પોતામાં હીલોળા માર્યા કરતું હોય; એમ
આત્માનો પરમ ગંભીર ચૈતન્યરસ, એ ચૈતન્યરસનો સમુદ્ર પોતે
પોતામાં ને પોતામાં હીલોળા માર્યા કરે છે. આવી અદ્ભુત
આરાધના સ્વાનુભૂતિમાં જાગી છે. ।।૨૬।।