મંગલં કુંદકુંદાર્યો, જૈનધર્મોસ્તુ મંગલમ્.
ઉપદેશ શ્રી વીરનાથનો જયવંત છે જિનશાસનં.
મંગલ વર્ષ ચાલે છે. આ વર્ષમાં જ સોનગઢ – પરમાગમમંદિરમાં
મહાવીર ભગવાનની, કુંદકુંદાચાર્યદેવની અને જિનવાણીની મંગલ
પ્રતિષ્ઠા થઈ છે. વીરશાસનની મહાન પ્રભાવના દ્વારા અજોડ
ઉપકાર કરનારા શ્રી કુંદકુંદાચાર્યદેવ આપણી સન્મુખ જ બિરાજી
રહ્યા છે. આવો, એમના દર્શન કરો.....ચરણસ્પર્શ કરો અને એમની
મંગલ વાણી સાંભળો.
આનંદ આપના પ્રતાપે આ જીવને પ્રાપ્ત થયા છે મહાવીર
ભગવાનના મોક્ષના અઢીહજાર વર્ષનો આ અતિ મંગલં મહોત્સવ
આરાધનાસહિત આનંદથી ઊજવી રહ્યા છીએ, ત્યારે પ્રભુના મહા
– અતિ ઉપકારનું અત્યંત – અત્યંત ભક્તિપૂર્વક ફરી ફરીને
સ્મરણ થાય છે. જીવન મહાવીર પ્રભુની ભક્તિમય બન્યું છે;
મહાવીર પ્રભુના ઉપદેશેલા પરમ તત્ત્વો, ચૈતન્યની અનુભૂતિ –
તેમય થયેલું જીવન, તેમાં મહાવીર ભગવાનનો પરમ અચિંત્ય
ઉપકાર છે.