Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 167 of 237
PDF/HTML Page 180 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૬૭
વીર સં. ૨૫૦૦ ચૈત્ર સુદ ૧૩
મંગલં ભગવાન્ વીરો, મંગલં ગૌતમો ગણી,
મંગલં કુંદકુંદાર્યો, જૈનધર્મોસ્તુ મંગલમ્.
સ્યાદ્વાદ – લક્ષણ અમોઘ જેનું, પરમ ગંભીર સુંદરં,
ઉપદેશ શ્રી વીરનાથનો જયવંત છે જિનશાસનં.
આજે આ ૨૯ મા પદનો અર્થ થાય છે ત્યારે, ચૈત્ર સુદ ૧૩
છે અને ભગવાન મહાવીરના નિર્વાણ – મહોત્સવનું ૨૫૦૦ મું
મંગલ વર્ષ ચાલે છે. આ વર્ષમાં જ સોનગઢ – પરમાગમમંદિરમાં
મહાવીર ભગવાનની, કુંદકુંદાચાર્યદેવની અને જિનવાણીની મંગલ
પ્રતિષ્ઠા થઈ છે. વીરશાસનની મહાન પ્રભાવના દ્વારા અજોડ
ઉપકાર કરનારા શ્રી કુંદકુંદાચાર્યદેવ આપણી સન્મુખ જ બિરાજી
રહ્યા છે. આવો, એમના દર્શન કરો.....ચરણસ્પર્શ કરો અને એમની
મંગલ વાણી સાંભળો.
અહો કુંદકુંદ ભગવાન! આપના પ્રતાપે આ જીવ સ્વાનુભૂતિ
પામ્યો; ભયંકર ભવદુઃખથી છૂટીને ચૈતન્યની પરમ શાંતિ, આત્મિક
આનંદ આપના પ્રતાપે આ જીવને પ્રાપ્ત થયા છે મહાવીર
ભગવાનના મોક્ષના અઢીહજાર વર્ષનો આ અતિ મંગલં મહોત્સવ
આરાધનાસહિત આનંદથી ઊજવી રહ્યા છીએ, ત્યારે પ્રભુના મહા
– અતિ ઉપકારનું અત્યંત – અત્યંત ભક્તિપૂર્વક ફરી ફરીને
સ્મરણ થાય છે. જીવન મહાવીર પ્રભુની ભક્તિમય બન્યું છે;
મહાવીર પ્રભુના ઉપદેશેલા પરમ તત્ત્વો, ચૈતન્યની અનુભૂતિ –
તેમય થયેલું જીવન, તેમાં મહાવીર ભગવાનનો પરમ અચિંત્ય
ઉપકાર છે.