Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 29.

< Previous Page   Next Page >


Page 168 of 237
PDF/HTML Page 181 of 250

 

background image
૧૬૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
વીર સં. ૨૪૯૭ માં આ આત્માને જે અપૂર્વ આત્મિક
સ્વાનુભૂતિ થઈ, તે સ્વાનુભૂતિના પરમ ગંભીર અચિંત્ય ભાવોને આ
૪૭ પદમાં ગૂંથ્યા છે; તેની આ સ્વાધ્યાય અને આ અર્થો દ્વારા
મહાવીર ભગવાનના ઉપકારની પ્રસિદ્ધિ ચાલે છે, તેમાં હવે ૨૯ મું
પદ છે. –
અતીન્દ્રિય – ચક્ષુથી દેખી આત્મને,
આંખ ખોલી ત્યાં દીઠું જગ અતિ ભિન્ન જો;
વૈરાગ વૈરાગ છાયા છવાઈ ઘેરલી,
ચિત્ત ચોંટે નહી ચેતનથી કહીં બાહ્ય જો...
જાગી રે જાગી સ્વાનુભૂતિ મુજ આત્મની...
અહો, જ્ઞાન – આનંદસ્વરુપ અતીન્દ્રિય મારું ચૈતન્યતત્ત્વ, એ
તત્ત્વને સ્વાનુભૂતિના અતીન્દ્રિયચક્ષુથી જીવનમાં પહેલી જ વાર મેં
દેખ્યું, એ અતીન્દ્રિયચક્ષુથી આત્માને દેખતી વખતે આ જગતના
અસ્તિત્વ ઉપર કોઈ લક્ષ ન હતું. જ્યારે સ્વાનુભૂતિ પૂરી થઈ,
સ્વાનુભૂતિની ધૂનમાં અમુક ટાઈમ રહ્યા પછી જ્યારે વિચારમાં
આવ્યો અને જોયું કે અહો, આ શી અદ્ભુતતા છે
! આ કદી નહિ
દેખેલું અદ્ભુત ચૈતન્યતત્ત્વ, આજે મને કેવું દેખાયું! – એમ
અનુભૂતિની ધૂનમાંથી બહાર આવ્યા પછી જ્યારે વિચાર આવ્યો
અને પહેલીવાર આંખ ખોલીને બહાર નજર ગઈ ત્યારે એમ લાગ્યું
કે અરે, આ જગત મારાથી કેટલું દૂર છે
! આ જગત મારાથી કેટલું
જુદું છે! મારું ચૈતન્યતત્ત્વ, મારી સ્વાનુભૂતિમાં આવેલું મારું
સ્વતત્ત્વ, એ સ્વતત્ત્વને અને આ જગતના તત્ત્વોને એકબીજાથી ઘણું
ઘણું દૂરપણું હોય, એકબીજા સાથે કાંઈ સંબંધ ન હોય, એવા
ભિન્નપણે આ જગતના બાહ્ય તત્ત્વોને પણ મેં પહેલી જ વાર દેખ્યા.
પૂર્વે બાહ્ય તત્ત્વોને દેખતો’તો, પરંતુ ચૈતન્યની સ્વસત્તાથી ભિન્નપણે