૧૭૦ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
આજે ચૈત્રસુદ તેરસ.....ભગવાન મહાવીરનો મંગલ
જન્મ દિવસ.....જગતનું કલ્યાણ કરનારા તીર્થંકર
ભગવાનના અવતારનો દિવસ.....
અહો, જે ભગવાનના શાસનમાં આ જીવ આવી
અદ્ભુત સ્વાનુભૂતિ પામ્યો તે પ્રભુના ઉપકારની શી વાત
કરું! મારા અસંખ્ય પ્રદેશમાં ચૈતન્યભાવની અંદર
બિરાજમાન હે સર્વજ્ઞ – પિતા! હે સર્વજ્ઞદેવ! આપના
અચિંત્ય પરમ ઉપકારને યાદ કરીને, મારી સન્મુખ
બિરાજમાન એવા આપને હું ફરીફરીને નમસ્કાર કરું છું.
સ્વાનુભૂતિ ચેતનની પ્રભુજી.....
અતિશય મુજને વહાલી,
સ્વાનુભૂતિમાં આનંદ ઉલ્લસે.....
એની જાત જ ન્યારી.....
પ્રભુજી! દર્શન તારા રે.....
જગતનું મંગલ કરનારા.....