Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 31.

< Previous Page   Next Page >


Page 173 of 237
PDF/HTML Page 186 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૭૩
શી વાત! બરફની વચ્ચે રહેલા જીવને જેમ ઠંડક – ઠંડક ને ઠંડક જ
હોય, એમ અસંખ્ય પ્રદેશે ચૈતન્યની અનુભૂતિમાં રહેલા મને, મારા
સ્વઉપયોગમાં બસ, આનંદ – આનંદ ને આનંદ જ હતો. ।।૩૦।।
(૩૧)
પ્રવાહ તૂટયો અનાદિ મિથ્યા ભાવનો,
સર્વે છૂટયો પર તણો સંબંધ જો;
એક જ આ બસ
! શોભે આતમ માહરો,
સાધક ધારા ઊપડી સિદ્ધિધામ જો.....
આ આત્માને જ્યારે સ્વાનુભૂતિ થઈ ત્યારે સાધકધારાનો
પ્રવાહ ઊપડયો. અનાદિથી ચાલી રહેલો મિથ્યાત્વભાવનો પ્રવાહ –
કે જે છેલ્લા થોડા વખતથી તો એકદમ મંદ – મંદ થતો જતો હતો,
એકદમ એની ધારા તૂટતી જતી હતી – એવો તે અનાદિ મિથ્યા
ભાવનો પ્રવાહ સર્વથા છૂટી ગયો, અને પરનો સંબંધ – પર સાથેના
એકત્વનો સંબંધ પણ છૂટી ગયો; અને સ્વાનુભૂતિમાં તો બસ, એક
મારા પોતાના આત્મા સાથે જ સંબંધ હતો. – ‘સંબંધ’ પણ શું
કહેવો
? – એકલો હું સ્વાનુભૂતિસ્વરુપ આત્મા જ શોભતો હતો.
અહા, જેમાં એક આત્માની જ શોભા છે, આત્મા પોતે એકલો –
એકલો જ પોતાના સ્વરુપની અદ્ભુતતાથી જ, પોતાના આનંદથી,
પોતાની જ્ઞાનદશાથી, પોતાની વૈરાગ્યપરિણતિથી અત્યંત – અત્યંત
શોભી રહ્યો છે. આવી અનુભૂતિમાં શોભતો મારો આત્મા
સાધકભાવ જગાડીને સિદ્ધિધામ તરફ ઊપડયો, સિદ્ધિનગરી
તરફનો એનો પ્રવાસ ચાલુ થઈ ગયો. અહો
! એ પરમ તૃપ્તિ, એ
પરમ સંતોષ! ઇષ્ટપદની પ્રાપ્તિની એ તૃપ્તિ – એની શી વાત!
મારું જીવન, મારો આત્મા બધું ધન્ય બન્યું. ।।૩૧।।