ગણાશે; એના સંબંધવાળા દ્રવ્યો તે પણ મંગળ છે; આ રીતે બધું
જ આત્માનું મંગળ છે.....મંગળ છે. (૩૮)
અનંતકાળે પણ નહીં છૂટે આ રત્ન જો;
આવું અમૂલ્ય જ રત્ન દીધું છે મુજને,
કેવા મારા ચૈતન્ય પ્રભુ દાતાર જો.....
સુખસ્વભાવ વિદ્યમાન તો હતો પરંતુ એની ખબર ન હતી;
શ્રીગુરુપ્રતાપે એ ચૈતન્યસુખની વાર્તા જૈનશાસનમાં જ્યારે
સાંભળવા મળી, વીરનાથ ભગવાનના શાસનમાં એ આત્મિકસુખના
અનુભવનો માર્ગ જ્યારે સાંભળ્યો, ત્યારે અંતરમાં તે માર્ગ જાણ્યો
અને તે માર્ગે અંતરમાં આત્માના સુખનો અનુભવ થયો; અહો
સમ્યગ્દર્શનના પ્રતાપે પામ્યો. આવું સમ્યગ્દર્શન, આવો આનંદ,
આવું સુખ, આવું જૈનશાસન, એનો દાતાર આ મારો ચૈતન્યપ્રભુ
આત્મા પોતે જ છે. અહા, ચૈતન્યપ્રભુ કેટલો મહાન દાતાર છે
અનંત શાંતિ, અનંતકાળ સુધી સદાય આપ્યા જ કરે – એવો અપૂર્વ
મહાન દાતાર મારો આત્મા, તે આત્માની અનુભૂતિ મને થઈ.....
અહો, એની શી વાત