Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 39.

< Previous Page   Next Page >


Page 186 of 237
PDF/HTML Page 199 of 250

 

background image
૧૮૬ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
ક્ષેત્ર પણ મંગળ કહેવાશે; એ જે કાળમાં હશે તે કાળ પણ મંગળ
ગણાશે; એના સંબંધવાળા દ્રવ્યો તે પણ મંગળ છે; આ રીતે બધું
જ આત્માનું મંગળ છે.....મંગળ છે. (૩૮)
(૩૯)
અનાદિમાં કદી પ્રાપ્તિ નો’તી જેહની
અનંતકાળે પણ નહીં છૂટે આ રત્ન જો;
આવું અમૂલ્ય જ રત્ન દીધું છે મુજને,
કેવા મારા ચૈતન્ય પ્રભુ દાતાર જો.....
અનંતકાળમાં પૂર્વે ચૈતન્યસુખનો સ્વાદ આ જીવે કદી ચાખ્યો
ન હતો. આ જીવની અંદર, આ જીવના સ્વભાવમાં પરમ
સુખસ્વભાવ વિદ્યમાન તો હતો પરંતુ એની ખબર ન હતી;
શ્રીગુરુપ્રતાપે એ ચૈતન્યસુખની વાર્તા જૈનશાસનમાં જ્યારે
સાંભળવા મળી, વીરનાથ ભગવાનના શાસનમાં એ આત્મિકસુખના
અનુભવનો માર્ગ જ્યારે સાંભળ્યો, ત્યારે અંતરમાં તે માર્ગ જાણ્યો
અને તે માર્ગે અંતરમાં આત્માના સુખનો અનુભવ થયો; અહો
!
એની શી વાત! અનાદિમાં કદી જે સુખની પ્રાપ્તિ ન હતી તે અપૂર્વ
ચૈતન્યસુખ આ આત્મા જૈનશાસનના પ્રતાપે, સ્વાનુભૂતિના પ્રતાપે,
સમ્યગ્દર્શનના પ્રતાપે પામ્યો. આવું સમ્યગ્દર્શન, આવો આનંદ,
આવું સુખ, આવું જૈનશાસન, એનો દાતાર આ મારો ચૈતન્યપ્રભુ
આત્મા પોતે જ છે. અહા, ચૈતન્યપ્રભુ કેટલો મહાન દાતાર છે
!
અનંત ચૈતન્યભાવોની શાંતિ એકસાથે જે આપે, અને એવી ગંભીર
અનંત શાંતિ, અનંતકાળ સુધી સદાય આપ્યા જ કરે – એવો અપૂર્વ
મહાન દાતાર મારો આત્મા, તે આત્માની અનુભૂતિ મને થઈ.....
અહો, એની શી વાત
! એ અમૂલ્ય ચૈતન્યરત્ન, અને એવી અમૂલ્ય