ચૈતન્યપાતાળ ઉલ્લસીને અનંતા ચૈતન્યરત્નો બહાર કિનારે આવ્યા
એટલે કે પરિણતિમાં પ્રગટરુપ થયા. આ રીતે સ્વાનુભૂતિમાં સમુદ્ર
કરતાં પણ વધારે ગંભીરતા છે અને અનંત ચૈતન્યગુણરુપી રત્નો
નિર્મળપણે ઉલ્લસી – ઉલ્લસીને એ અનુભૂતિમાં પરિણમી રહ્યા છે.
મોટા પર્વત કરતાં પણ એ સ્વાનુભૂતિનું ગૌરવ ઘણું મહાન છે.
આ ગીરનારને તીર્થ તરીકે કોણ પૂજે
કાળા પથરાને તીર્થ તરીકે કોણ માનત
ખરેખર અહીં વિચરેલા સંતોની સ્વાનુભૂતિની પૂજા છે; સ્વાનુભૂતિનું
સ્મરણ કરીને આ ગીરનારને તીર્થ તરીકે પૂજીએ છીએ.
સ્વાનુભૂતિને સાક્ષાત્ દેખીએ છીએ.....નેમનાથ પ્રભુની પરમ
વૈરાગ્યમય આનંદપરિણતિને સાક્ષાત્ દેખીએ છીએ. અહો
ભગવંતો
તીર્થ જેવી લાગે છે તેથી તેને પણ અમે મસ્તક નમાવીને પૂજીએ
છીએ....એની રજને અમારા શિર પર ચડાવીએ છીએ.
ગીરનારમાં રહ્યો હતો ( – મારા ભાભી પણ આવેલા) તે વખતે