Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 203 of 237
PDF/HTML Page 216 of 250

 

background image
સોનગઢમાં ચેતનવંતા સાધકજીવો વસી રહ્યા છે.....જે સાધક
ધર્મમાતાઓનો મારા ઉપર અચિંત્ય – અપૂર્વ – કલ્પનાતીત ઘણો
જ ઘણો ઉપકાર છે; જેવો તીર્થંકરોનો ઉપકાર.....એવો જ એ
માતાઓનો મારા ઉપર પરમ અચિંત્ય ઉપકાર; એમનું પરમ
વાત્સલ્ય, મને સ્વાનુભૂતિ પામવામાં ખરેખર કારણરુપ થયું છે.
એવી એ ચેતનવંતી માતાઓને, એવા એ ચેતનવંતા જીવોના
સાધકભાવને દેખીને મને પણ મારી ચેતના જાગી ઊઠી.....ને
આરાધક ભાવ પ્રગટયો.
– એ સાધક જીવોની અંદર, એક તરફ ચૈતન્યનો પરમ
શાંતભાવ, બીજી તરફ કર્મધારાનું કાર્ય, – એ બંને અત્યંત
ભિન્નપણે કેવા જુદા જુદા કામ કરી રહ્યા છે
! એમ જ્ઞાન અને
ઉદયનું અત્યંત ભિન્નપણું મને તેમનામાં તો દેખાયું, ને એવું જ
ભિન્નપણું, એવું જ અત્યંત ભિન્નપણું – ચેતનાનું અને કષાયનું,
મને મારા આત્મામાં પણ અત્યંત સ્પષ્ટ, વેદનપૂર્વક દેખાયું, એટલે
કે કષાયોથી ભિન્ન ઉપયોગ થયો અને પોતાના ચૈતન્યરસમાં મગ્ન
થઈને પોતે પોતાની સ્વાનુભૂતિ કરી લીધી.
અહો, એ સ્વાનુભૂતિનું.....અંતરના વેદનનું વર્ણન તો
સ્વાનુભૂતિના આ પદોમાં પહેલાં મેં ઘણું – ઘણું કર્યું છે. એ
સ્વાનુભૂતિ થવાના ટાણે ચેતના અને કષાયની ભિન્નતા દેખાણી –
સ્પષ્ટ દેખાણી, એના જોરે અંતરમાં સ્વાનુભૂતિનું વેદન કર્યું; ત્યારે
ચેતનાએ બાહ્ય ભાવોને તો સાવ છોડી દીધા હતા; એકલા
ચૈતન્યરસમાં લીન થઈ, ચેતના પોતે એકલા ચૈતન્યરસરુપે જ
પરિણમીને, પોતે પોતાનું સ્વસંવેદન કરતી – કરતી, પોતાના
એકલા શાંતરસના પિંડને જ પોતે ગ્રહણ કર્યો; અને એ સિવાયના,
જે શાંતરસમાં સમાઈ ન શકે એવા, સમસ્ત પર ભાવોને તેણે
અત્યંતપણે પોતાનાથી બહાર રાખ્યા, – તેનાથી પોતે સર્વથા જુદી
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૨૦૩