અને ૧૦૦ વખત મારે તેની સ્વાધ્યાય કરવાની ઉત્તમ ભાવના છે.
તેમાં અત્યારે સમયસારની સ્વાધ્યાય કુલ ૭૦ મી વખત ચાલી રહી
છે, એટલે કે સ્વાનુભૂતિ થયા પછી ૩૬ મી વખત એની સ્વાધ્યાય
ચાલી રહી છે. આ પહેલાં મેં ૩૪ વખત એની સ્વાધ્યાય પૂરી કરી
હતી, અને આ બધાની પ્રાપ્તિ મને થઈ તે કહાનગુરુના પ્રતાપે થઈ
છે. આવા કુંદકુંદ પ્રભુ મળ્યા, આવા પૂજ્ય ધર્મમાતા મળ્યા, આવા
આત્માની સ્વાનુભૂતિ મળી અને આવું સમયસાર મળ્યું...એ બધો
ઉપકાર ભાવિ તીર્થંકર કહાન ગુરુદેવનો છે....તેથી હે
કુંદકુંદસ્વામી
ભક્તિપૂર્વક હું આપને નમસ્કાર કરું છું. અને –
આતમદેવ, હું પોતે જ મારી સ્વાનુભૂતિથી શોભતો, હું પોતે મને
નમસ્કાર કરું તો – તો ભેદ પડી જાય છે. હું મારામાં નમેલો
નમસ્કારસ્વરુપ જ છું; મારી પરિણતિ કે જે મારા સ્વરુપમાં જ
નમેલી છે – તેમાં, ‘આ હું’ અને ‘આ મારી પરિણતિ’ એવું દ્વૈત
સ્વાનુભૂતિમાં નથી – નથી. માટે અદ્વૈતરુપ, સ્વાનુભૂતિમાં જે અદ્વૈત
છે એવો હું આતમદેવ, અહો
મહાવીર ભગવાન જેવા સાક્ષાત ભગવાન બની જશો.