Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 210 of 237
PDF/HTML Page 223 of 250

 

background image
મૂર્તચિહ્નો વડે હું પકડાઉં તેવો નથી.
(૪) આત્માને પ્રત્યક્ષ કર્યા વગર, એકલા જ અનુમાનથી કોઈ
મને જાણી શકે નહીં. મારા અદ્ભુત સ્વરુપને જે ઓળખે તે
પોતાના સ્વરુપને પ્રત્યક્ષ જાણતો જ હોય.
(૫) સ્વસંવેદન વડે પ્રત્યક્ષ કરેલા મારા ચૈતન્યસ્વરુપ આત્માને
સાથે રાખીને જ હું પરને જાણું છું. પરને જાણતાં સ્વને ભૂલી
જતો નથી; એટલે એકાંત પરોક્ષ, પરપ્રકાશી હું નથી.
(૬) હું પ્રત્યક્ષ – જ્ઞાતા છું. મારા સ્વસંવેદનમાં ઇન્દ્રિય – મનનું
આલંબન નથી. ઇન્દ્રિયો અને અનુમાન વગર જ મારું જ્ઞાન
મને તો સ્વસંવેદનથી અનુભવે છે. મારું આ
સ્વસંવેદન.....પ્રત્યક્ષ છે.
(૭) મારો ઉપયોગ મારા ચૈતન્યને અનુસરનારો છે. ઉપયોગને
બહારમાં ન ભમાવું તોપણ મારું ચૈતન્યપરિણમન તો ચાલુ
જ રહે છે.....માટે – મારું ચૈતન્યપણું બાહ્યપદાર્થોને
અવલંબનારું નથી; સ્વાધીનપણે હું ચૈતન્ય છું.
(૮) હું સ્વયં ઉપયોગસ્વરુપ હોવાથી, મારા જ્ઞાનને મારે ક્યાંય
બહારથી લાવવાનું નથી. શું જડ – પુદ્ગલને બહારના
જ્ઞાનવડે કદી ચેતનરુપ કરી શકાય છે
? – ના....તેનો
સ્વભાવ ચેતન નથી. હું તો સ્વભાવથી જ ચેતન છું. મારું
ચેતનપણું ક્યાંય બહારથી આવેલું નથી.
(૯) અભેદપણે સ્વયં ઉપયોગસ્વરુપ હું છું. મારા ચેતનપણાને
કોઈ મટાડી શકે નહિ. શું અમૂર્ત આકાશને કોઈ મૂર્ત કરી
શકે
? શું મૂર્તપુદ્ગલને કોઈ અમૂર્ત કરી શકે? – ના. તેમ
ચેતનમય એવા મને કદી અચેતનરુપ કોઈ કરી શકે નહિ.
મારા જ્ઞાનપરિણામને કોઈ હરી શકે નહિ.
૨૧૦ : અલિંગગ્રહણ આત્મા )
( સમ્યગ્દર્શન