કષાયો શાંત થાય છે ત્યાં ચૈતન્ય – આત્મા ઝળકી ઊઠે છે.
આ રીતે કષાયને અને મારા ચૈતન્યને એકતા નથી,
વિરુદ્ધતા છે; માટે કષાય વગરના શુદ્ધ ચૈતન્યસ્વાદપણે
વેદાતો જ હું છું.
નથી. કર્મગ્રહણમાં જે ભાવ નિમિત્ત થાય તે મારા ચેતનથી
ભિન્ન છે. સ્વભાવમાં તન્મય એવું મારું ચેતનત્વ બીજા
કોઈ સાથે સંબંધ કરતું નથી.
ભોક્તા છું, અતીન્દ્રિય ઉપયોગ સાથે અતીન્દ્રિયઆનંદ જ
હોય.....દુઃખ ન હોય, તેથી વિષયો પણ ન હોય.
લક્ષણ નથી. માતાના ઉદરમાં જેની રચના થઈ તે હું નહીં;
માતાના પેટમાં કાંઈ મારી રચના નથી થઈ. હું તો અજન્મ
છું, અનાદિ ચૈતન્યરુપ છું. શરીર – ઇન્દ્રિયોની રચના તે
કાંઈ મારું જીવન નથી; મારું જીવત્વ તો સ્વયં મારી ચેતના
વડે જ મેં ત્રિકાળ ધારણ કરેલું છે.