Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 212 of 237
PDF/HTML Page 225 of 250

 

background image
નથી. જડ શરીરનો પુરુષત્વાદિ આકાર તે હું નથી.
ચૈતન્યશરીરરુપ ભાવઆકાર તે હું છું.
(૧૫) મારા મહાન ચૈતન્યભાવને ક્ષેત્રથી વિશાળતા અર્થાત્ સર્વ
લોકમાં વ્યાપ્તિ, હોવી જોઈએ એવો કોઈ નિયમ નથી.
લોકમાં વ્યાપ્ત હોય તેને જ પરમેશ્વરપણું હોય – એવી
મિથ્યામાન્યતા મારા ચૈતન્યપ્રભુને લાગુ પડતી નથી.
મર્યાદિત ક્ષેત્રમાં રહીને પણ હું અમર્યાદિત
ચૈતન્યસામર્થ્યવાળો છું.
(૧૬) અતીન્દ્રિય આત્માને શરીર નથી; શરીર ન હોવાથી
શરીરસંબંધી કોઈ વેદ નથી; ને વેદ ન હોવાથી વેદસંબંધી
કોઈ વિકાર નથી. આ રીતે મારું અતીન્દ્રિયપણું દ્રવ્ય –
ભાવવેદ વગરનું છે. અહા, મારો ચૈતન્યભાવ કેવો
નિર્વિકારપણે શોભે છે
!
(૧૭) ધર્મના બાહ્યચિહ્નો દિગંબરશરીર કે પીંછી – પુસ્તક વગેરે
કાંઈ મારા ચૈતન્યભાવમાં પ્રવેશતા નથી, એટલે એ
બાહ્યચિહ્નોને દેખવાથી કાંઈ અતીન્દ્રિય આત્મા દેખાતો
નથી. અતીન્દ્રિયઆત્મા પોતાના અતીન્દ્રિય ચૈતન્યભાવોને
જ ગ્રહે છે, બીજા કોઈને ગ્રહતો નથી.
(૧૮) અખંડ ચૈતન્યસત્ત્વ એવો હું – મારા સમસ્ત દ્રવ્ય – ગુણ
– પર્યાયોના અભેદ – પિંડરુપ છું; તેમાં દ્રવ્ય – ગુણ –
પર્યાય એવા ત્રણ કટકા કરીને ‘ગુણ તે હું’ એવા ભેદના
વેદનથી આત્માનું ગ્રહણ ( – અનુભવન) થતું નથી.
ચૈતન્યચિહ્નરુપ પરમ પદાર્થના વેદનમાં તે ગુણો સમાઈ
જાય છે ખરા, પણ ‘આ ગુણ’ એવો ભેદ તેમાં રહેતો નથી.
(૧૯) દ્રવ્યથી જુદી કોઈ પર્યાય તે કાંઈ આત્મા નથી. શુદ્ધ દ્રવ્યરુપ
૨૧૨ : અલિંગગ્રહણ આત્મા )
( સમ્યગ્દર્શન