આવતો, કેમકે આત્મામાં શુદ્ધ દ્રવ્ય – ગુણ – પર્યાય એક
સાથે છે, તે ત્રણસ્વરુપે અખંડ આત્મા શુદ્ધપણે એક
અનુભવાય છે. શુદ્ધપર્યાય તેની અંદર સમાઈ જાય છે પણ
શુદ્ધાત્માના અનુભવમાં ‘આ પર્યાય’ એવો ભેદ રહેતો નથી.
નથી, તેથી ‘દ્રવ્યથી અનાલિંગીત’ કહ્યો. અનુભૂતિમાં
શુદ્ધપર્યાય દ્રવ્યની સાથે અભેદપણે વર્તે જ છે. દ્રવ્ય –
પર્યાયની ભિન્ન – ભિન્ન અનુભૂતિથી આત્મા અનુભવાતો
નથી. આ રીતે શુદ્ધપર્યાય સહિત શુદ્ધદ્રવ્યરુપે મને મારો
સ્વાનુભવ થાય છે. (આ છેલ્લા ત્રણ બોલમાં ગુણ – પર્યાય
અને દ્રવ્ય એવા ત્રણ ભેદના વિકલ્પથી પાર,
અભેદઆત્માની અનુભૂતિ બતાવી છે.)
ચેતનાએ પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે એટલે કે
ચેતનાથી લક્ષિત સંપૂર્ણ જીવસ્વભાવને ભેદજ્ઞાની જીવો સ્વસંવેદનથી
અનુભવે છે. આચાર્યદેવ કહે છે કે હે મુમુક્ષુ