સ્વરુપ આત્મા શ્રી કુંદકુંદસ્વામીએ અનુગ્રહપૂર્વક પોતાના સર્વે
શાસ્ત્રોમાં બતાવ્યો છે તેને હે ભવ્ય
પોતાના આનંદનો સ્વાદ લેવામાં કોઈ રાગની, ઇન્દ્રિયોની કે
બાહ્યવિષયોની સહાય લેવી પડતી નથી. હે ભવ્ય
આનંદરુપે અનુભવીશ.
અતીન્દ્રિય – ચૈતન્યચિહ્નરુપ છે તેને તેં અત્યાર સુધી ન જાણ્યું; અને
‘જે ઇન્દ્રિયોથી જાણે તે જ જીવ, જે ઇન્દ્રિયોથી દેખાય છે તે જ જીવ’
– એમ આત્માને ઇન્દ્રિયગમ્ય જ માન્યો; તેથી સર્વજ્ઞ – મુનિ –
સમ્યગ્દ્રષ્ટિ વગેરે અતીન્દ્રિય ભાવવાળા આત્માઓને સાચા સ્વરુપે તું
ઓળખી ન શક્યો, તેઓને પણ તેં ઇન્દ્રિયગમ્ય માની લીધા. આ રીતે
તેં ન તારા શુદ્ધાત્માને જાણ્યો, ન અરિહંતાદિને જાણ્યા.
તથા રાગને કાઢી નાંખીને, અતીન્દ્રિય ચેતના વડે આત્માને
અનુભવમાં લે.