Samyak Darshan Part 7 8 (Gujarati). Aatma Vastu Stavan - Aling-grahan.

< Previous Page   Next Page >


Page 216 of 237
PDF/HTML Page 229 of 250

 

background image
અહા, આત્મસ્વભાવની અદ્ભુતતા તો જુઓ. જ્ઞાન પોતાના
સામર્થ્યથી જ્યાં સમ્યગ્દર્શન – સર્વજ્ઞતા વગેરે અતીન્દ્રિય સ્વભાવને
જાણવા ઉત્સુક થાય છે ત્યાં ઇન્દ્રિયોના સંબંધને દૂર કરીને તે જ્ઞાન
પોતાના અતીન્દ્રિય સ્વભાવપણે ખીલી જાય છે ને પોતાના મહાન –
અતીન્દ્રિય – આત્મસ્વભાવને અનુભવી લ્યે છે, તે અતીન્દ્રિયજ્ઞાન
પોતે આત્મા જ છે.
આવા આત્માને સ્વસંવેદન વડે અનુભવમાં લ્યો.
૨૧૬ : અલિંગગ્રહણ આત્મા )
( સમ્યગ્દર્શન
‘અલિંગગ્રહણ’ આત્માને જાણ
આત્મવસ્તુ – સ્તવન
પરમાર્થસ્વરુપ આત્માનું અસાધારણ સ્વલક્ષણ
બતાવીને, પ્રવચનસાર ગા. ૧૭૨ માં આચાર્યભગવંતોએ
જે અદ્ભુત આત્મસ્વરુપ પ્રકાશ્યું છે, તેનો સાર હમણાં
આપે વાંચ્યો. તેના ઉપર ગુરુદેવના સ્વાનુભૂતિપ્રધાન
પ્રવચનો સાંભળતાં જે ઉર્મિ જાગી તે આ ‘આત્મવસ્તુ-
સ્તવન’માં કાવ્યરુપે વ્યક્ત કરી છે. (બ્ર. હ. જૈન)
હવે આપ વાંચશો –
આત્માને અનુભવમાં લેવાની એક સુંદર કાવ્યરચના