Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 222 of 237
PDF/HTML Page 235 of 250

 

background image
b પ્રયોગ પહેલો b
(૧) મારે પંચપરમેષ્ઠી ભગવંતોની સાથે રહેવું છે – કેમકે તેમનું
જીવન અત્યંત સુંદર અને સુખી છે.
(૨) પંચપરમેષ્ઠીની સાથે રહેવા માટે, સૌથી પહેલાં હું તેમના
સ્વરુપને ઓળખીશ.
(૩) અહો, આ ભગવંતોની ઓળખાણ કરતાં જ મારામાં પણ
કેવું અતીન્દ્રિય જ્ઞાન તથા પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો
છે
!!
(૪) પંચપરમેષ્ઠીની સાથે રહેવાથી, એટલે કે તેમને મારા
અંતરમાં રાખવાથી, તેમનું અને મારું જીવન એક સરખું
થઈ જશે, – હું તેમના જેવો થઈ જઈશ.
પ્રયોગ :
આ સંબંધમાં વિચાર : ૩૦ મિનિટ : ધ્યાન ૧૦ મિનિટ
પ્રશ્ન : – આ પ્રયોગમાં ‘વિચાર’ અને ‘ધ્યાન’ બંને કરવાનું
કહ્યું, તો તે બંનેમાં શું ફેર છે?
ઉત્તર : – વિચારના વિષયમાં તો સ્વ – પર, સ્વભાવ –
વિભાવ બધાનો વિચાર કરીને ભેદજ્ઞાનની દ્રઢતા કરવાની છે, ને ‘હું
જ્ઞાયક છું.....અનંત ચૈતન્યસુખ મારામાં જ વેદાય છે’ ઇત્યાદિ
પ્રકારે એકલા સ્વતત્ત્વને જ ઉપયોગમાં લેવાનો પ્રયત્ન તે ધ્યાનનો
પ્રયોગ છે.....વિચારનું ફળ ધ્યાન છે ને ધ્યાનવડે સ્વાનુભવ થાય
છે.
૨૨૨ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન