આટલી ગંભીરતા નીકળી – તે તત્ત્વના મહિમાનું શું કહેવું
અત્યારે જ તે સફળ થઈ રહ્યો છે, અને તેના ફળરુપે પરમ
અતીન્દ્રિય શાંતિનો અનુભવ થતાં હવે વાર નહીં લાગે.
શાંતિનું વેદન મારે જ કરવાનું છે. જગતનું કાંઈ હું નથી કરતો,
અને જગતમાં કોઈ મારું કાંઈ કરી દેતું નથી; એકબીજાથી નિરપેક્ષ
પોતપોતામાં સ્વાધીન છે, – તેથી મારી પરિણતિને હવે ક્યાંય
બહાર ઘૂમવાનું ન રહ્યું; મારામાં જ રહીને શાંતિનું વેદન કરવાનું
છે. તેથી વિશ્વ પ્રત્યે પરમ ઉદાસીન એવો મારો કષાયરસ હવે
તૂટવા માંડયો છે, અને જ્ઞાનમય શાંતરસનું ઘણું જોરદાર ઘોલન
થઈ રહ્યું છે.
હવે ઊતરવા માંડયો છે; ચૈતન્યની વારંવાર ભાવના વગર હવે
રહેવાતું નથી, સંસારના કષાયપ્રસંગમાં તો જરાય ચેન પડતું નથી.
કરીને શાંતિને લઈ લઉં છું. – આ જ મારો આત્મહિતનો પ્રયોગ