હવે આપની સાથે એવી આત્મીયતા થઈ ગઈ છે કે ચિત્ત ક્યાંય
બીજે ઠરતું નથી; પોતે પોતામાં જ ઠરીને ચિત્ત સંતુષ્ટ થઈ રહ્યું છે.
થયો કે જેટલી મને કલ્પના પણ ન હતી; – તોપછી દિનરાત
ચોવીસ કલાક હું આપની અનુભૂતિના પ્રયોગમાં લાગ્યો રહું તો
પરમ અતીન્દ્રિય આનંદનો અનુભવ થતાં કેટલી વાર
શાંતિને માટે હવે મારો આત્મા બહુ વ્યાકુળ થઈ રહ્યો છે; જે શાંતિ
મારા પોતામાં જ ભરી છે અને જેનો થોડો થોડો સ્વાદ પણ આવી
રહ્યો છે, – તેનાથી હવે હું વંચિત કેમ રહું
પરંતુ ઉપયોગને સર્વ તરફથી ખેંચીને માત્ર આપમાં જ સંપૂર્ણપણે
જોડવાથી જ આપના સાક્ષાત્ દર્શન થશે – જે અતીન્દ્રિય આનંદથી
ભરપૂર હશે; – પરંતુ જ્યાંસુધી સાક્ષાત્કાર નથી થતો ત્યાંસુધી
આપની ભાવના વગર રહેવાતું નથી. કેમકે આપના સિવાય
સંસારમાં તો બીજે ક્યાંય પણ મારું ચિત્ત લાગતું નથી.