Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 230 of 237
PDF/HTML Page 243 of 250

 

background image
૨૩૦ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન
સૂચના
પ્રયોગ કરતાં કરતાં તમને પોતાના અંતરમાં શાંતિ વધતી
જાય છે ને કષાયોનો રસ તૂટતો જાય છે, મિથ્યાત્વાદિ તૂટવા માંડે
છે, – સમ્યક્ત્વ નજીકમાં આવતું દેખાય છે, – આવા ઉત્તમ
ભાવોની ઊર્મિઓ જાગે, – તો તમારો પ્રયોગ સત્ય છે. – તેનો
નિર્ણય પોતાની જાતે જ કરવાનો છે.
પ્રયોગ સાતમો
(૩૧) અહો, જિનેન્દ્રશાસન કેવું ગંભીર છે! ગંભીર હોય જ
ને! – કેમકે, એક તો તે પરમ ગુણગંભીર આત્મસ્વભાવને
દેખાડનારું છે, અને તેની ઉત્પત્તિ પણ આત્માના ગંભીર સ્વભાવના
સ્વાનુભવ – જ્ઞાનમાંથી થઈ છે.
(૩૨) આવા ગંભીર જૈનશાસનમાં આવેલો, ને આવા
ગંભીર આત્મસ્વભાવને સાધનારો હું, આત્માને સાધતાં – સાધતાં
મારું જીવન, મારી પરિણતિ પણ કેવી ગંભીરતા ધારણ કરતી જાય
છે તે મારા અંતરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પહેલાં રાગ – દ્વેષ –
કષાયોરુપ અત્યંત તુચ્છ ભાવોમાં વર્તતું દુઃખી જીવન, તે હવે પરમ
સુખના ધામ તરફ જતાં જતાં અનેરી શાંતિ, તથા અનેરી
વીતરાગતાથી ભરેલા ગંભીરજ્ઞાનરુપ થવા માંડયું છે. અંતર્મુખતા
વડે આત્માની જ પાસેથી લીધેલા ગંભીર અતીન્દ્રિયજ્ઞાન વડે હું
આત્માની ગંભીરતાનો તાગ લઈશ ને તેને પ્રાપ્ત કરીશ.
(૩૩) આત્મતત્ત્વ એટલું મહાન છે કે બીજા કોઈ સાધન વડે
તે પમાતું નથી, એમાંથી જ કાઢેલા અતીન્દ્રિય જ્ઞાનવડે જ તે પમાય
છે. જેમ વાસુદેવ દ્વારા પ્રતિવાસુદેવનો ઘાત બીજા કોઈ સાધન વડે
થઈ શકતો નથી, માત્ર તેની જ પાસેથી આવેલા ચક્ર વડે તેનો ઘાત