Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 231 of 237
PDF/HTML Page 244 of 250

 

background image
થાય છે; ત્યાં ઘાતની વાત છે, અહીં પ્રાપ્તિની વાત છે. અહીં
આત્માની પ્રાપ્તિ આત્માથી બહારના કોઈ સાધન વડે થતી નથી.
અંદર આત્મામાંથી જ લીધેલા તેના એક અંશરુપ જ્ઞાનચક્ર વડે તેનો
લક્ષ્યવેધ કરતા તે સાક્ષાત્ સ્વાનુભવમાં આવે છે. મહાન
તાકાતવાળા આત્મામાંથી આવેલું જ્ઞાન પણ મહાન તાકાતવાળું છે;
તે રાગની કે ઇન્દ્રિયોની મદદ વગર એકલું જ પોતાનું કાર્ય કરે છે.
(૩૪) આત્મામાંથી આવેલું ‘જ્ઞાન’ વિચારે છે કે હું ક્યાંથી
આવ્યું? જ્યાંથી હું આવ્યું ત્યાં જ હું જાઉં – એમ વિચારી તે
આત્મામાં ઊતરી જાય છે.....ને સાક્ષાત્ જ્ઞાનસમુદ્રરુપ થઈને
આત્મવેદન કરે છે.
(૩૫) વળી તે આત્મામાંથી આવેલું જ્ઞાન વિચારે છે કે હું
જેમાંથી આવ્યું તેમાંથી મારી સાથે કાંઈ ક્રોધાદિ આવ્યા ન
હતા....માટે હું જ્યાંથી આવ્યું છું ત્યાં ક્રોધાદિ ભર્યા નથી, પણ
શાંતિ જ ભરી છે. – એમ ક્રોધાદિથી ભિન્નતારુપ પોતાનું
પરિણમન કરતું મારું જ્ઞાન શાંતિને અનુભવે છે.
(૩૬) અહો, આ જ્ઞાનની અદ્ભુતતા કોઈ મહાન છે! તેની
નિઃશંકતા અને આત્મવિશ્વાસ અનેરા છે. પોતાનું પવિત્ર
‘માતૃસ્થાન’ તેને એવું વહાલું છે કે તેના સિવાય બીજે ક્યાંય તેનું
ચિત્ત તન્મય થતું નથી; જ્યાંથી પોતાની ઉત્પત્તિ થઈ ત્યાં જ
(જ્ઞાનસ્વભાવમાં સામાન્યમાં જ) તેને તન્મયતા અનુભવાય છે,
તેની સાથે જરાય જુદાઈ રાખતું નથી.....અને તે સ્વભાવમાં ભરેલા
આનંદ – શાંતિ – પ્રભુતા વગેરે અનંત વૈભવને તે પોતાનો જ
નિજવૈભવ સમજીને અનુભવે છે.
(૩૭) હવે મારું આવું અદ્ભુત ખીલેલું જ્ઞાન કાંઈ ગરીબ
નથી, રાગાદિરુપ મેલું નથી, પરાધીન નથી, દુઃખી નથી, ભવમા
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૩૧