આ ક્રોધ તને શોભતો નથી; તારો મહાન આત્મા ક્રોધથી ભિન્ન,
અત્યંત શાંત ચૈતન્યસ્વરુપ છે, તેને તું ઓળખ.
સામે ટગટગ જોતાં તેમની વાણી સાંભળવા આતુર બન્યો.
ઉપદેશ દેવા લાગ્યા : હે ભવ્ય
આત્મા સાથે એકમેક માનીને તેં ભવચક્રમાં ઘણા ભવ કર્યા ને બહુ
દુઃખી થયો. હવે રાગ અને જ્ઞાનને એકમેક માનવાના અવિવેકને તું
છોડ. તારો આત્મા દેહરુપ કે રાગરુપ થઈ ગયો નથી, ચેતનરુપ જ
રહ્યો છે. – આ જાણીને તું પ્રસન્ન થા, સાવધાન થા, અને સદાય
ઉપયોગસ્વરુપ સ્વતત્ત્વ જ મારું છે એમ અનુભવ કર.
ઉપયોગ તો હર્ષથીયે પાર થઈને ચૈતન્યતત્ત્વના પરમઆનંદનો સ્વાદ
લેવા તરફ ઢળી રહ્યો હતો. પ્રશાંત પરિણામ વડે મારી ચેતના
અંદરમાં ઊંડી ઊતરતાં મેં મારા પરમાત્મસ્વરુપને સાક્ષાત
દેખ્યું.....અહા, પરમ આનંદની અનુભૂતિસહિત આત્માનું સમ્યક્
દર્શન થયું.