હતું. ક્ષણમાત્રના આવા અનુભવથી મારો અનંતભવનો થાક ઊતરી
ગયો ને હું મોક્ષમાર્ગનો પથિક બન્યો.’ – સમ્યગ્દર્શન પામેલો હાથી
કહે છે : આત્મઉપયોગ સહજપણે ઝડપથી પોતાના સ્વરુપ તરફ
વળતાં સહજ નિર્વિકલ્પસ્વરુપ અનુભવાયું. ચૈતન્યપ્રભુ પોતાના
એકત્વમાં આવીને નિજાનંદમાં ડોલવા લાગ્યા. વાહ, મારું સ્વરુપ
કોઈ અદ્ભુત – અચિંત્ય – આશ્ચર્યકારી છે.’
પરમાત્મપણું મળ્યું. હું પશુ નહિ, હું તો પરમાત્મા
આત્મસ્વરુપને તે પ્રગટ કરે છે. અહા, જેમના ઉપદેશથી મારા
ભવદુઃખનો અંત આવ્યો ને મોક્ષની સાધના શરુ થઈ, જેમણે મને
મારા પરમાત્મનિધાન બતાવ્યા, તે મુનિરાજના ઉપકારીની શી વાત
સ્તુતિ કરી, સૂંઢવડે નમસ્કાર કરીને મેં તેમનો ઉપકાર માન્યો....
મારી આંખમાંથી હરખના આંસુ ઝરતા હતા.