અનુયોગરુપ છે, ને તે ચારેય અનુયોગ વીતરાગભાવનો જ
ઉપદેશ આપીને આત્માનું હિત કરનાર છે. પુરાણા શાસ્ત્રભંડારોમાં
ચારે અનુયોગના ઘણાંય શાસ્ત્રો છે, પણ તે બધાય નો અભ્યાસ
અતિ વિરલ વિદ્વાનો જ કરી શકે છે.
અધ્યાત્મશૈલીથી લખાયેલ ‘મહાપુરાણ’ વાંચો, – તેમાં
જિનવાણીના ચારેય અનુયોગ ભર્યા છે. તેમાં (૧) તીર્થંકર
ભગવંતોની જીવનકથા છે, (૨) મોક્ષને માટે તે ભગવંતોએ
આચરેલા ઉત્તમ આચરણનું વર્ણન છે, (૩) ચાર ગતિનાં સુખ-
દુઃખ, ગુણસ્થાન વગેરે પરિણામરુપ કરણાનુયોગ પણ તેમાં છે,
અને (૪) તે તીર્થંકરાદિ મહાત્માઓ ક્યારે, કેવા ભાવથી
સમ્યગ્દર્શનાદિ પામ્યા, તેનું વર્ણન તેમજ સ્વાનુભૂતિની અતિ
સુંદર ચર્ચાઓરુપ દ્રવ્યાનુયોગ પણ તેમાં ઠેરઠેર ભરેલો છે. આ
રીતે
અનુભવશો....અને, જો જ્ઞાનીના સત્સંગનું જોર તમારી પાસે હશે
તો, તમે મોક્ષમાર્ગમાં પણ દાખલ થઈ જશો. – ધન્યવાદ !