Samyak Darshan Part 7 8 (Gujarati). 24 Tirthankar Puran Parichay.

< Previous Page   Next Page >


Page 15 of 237
PDF/HTML Page 28 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( ચોવીસ તીર્થંકરોનું મહાપુરાણ : ૧૫
૨૪ તીર્થંકરોનું મહાપુરાણ
FOUR IN ONE
(એક જ શાસ્ત્રમાં ચારેય અનુયોગ)
લેખક : બ્ર. હરિલાલ જૈન
(૧) પ્રથમ કથાનુયોગ (૨) ચરણાનુયોગ (૩)
કરણાનુયોગ અને (૪) દ્રવ્યાનુયોગ. – જિનવાણી આવા ચાર
અનુયોગરુપ છે, ને તે ચારેય અનુયોગ વીતરાગભાવનો જ
ઉપદેશ આપીને આત્માનું હિત કરનાર છે. પુરાણા શાસ્ત્રભંડારોમાં
ચારે અનુયોગના ઘણાંય શાસ્ત્રો છે, પણ તે બધાય નો અભ્યાસ
અતિ વિરલ વિદ્વાનો જ કરી શકે છે.
– તો જિજ્ઞાસુએ શું કરવું ? ચારે અનુયોગના અનેક
શાસ્ત્રોના આધારે આપણા ચોવીસ તીર્થંકર ભગવંતોનું,
અધ્યાત્મશૈલીથી લખાયેલ ‘મહાપુરાણ’ વાંચો, – તેમાં
જિનવાણીના ચારેય અનુયોગ ભર્યા છે. તેમાં (૧) તીર્થંકર
ભગવંતોની જીવનકથા છે, (૨) મોક્ષને માટે તે ભગવંતોએ
આચરેલા ઉત્તમ આચરણનું વર્ણન છે, (૩) ચાર ગતિનાં સુખ-
દુઃખ, ગુણસ્થાન વગેરે પરિણામરુપ કરણાનુયોગ પણ તેમાં છે,
અને (૪) તે તીર્થંકરાદિ મહાત્માઓ ક્યારે, કેવા ભાવથી
સમ્યગ્દર્શનાદિ પામ્યા, તેનું વર્ણન તેમજ સ્વાનુભૂતિની અતિ
સુંદર ચર્ચાઓરુપ દ્રવ્યાનુયોગ પણ તેમાં ઠેરઠેર ભરેલો છે. આ
રીતે
(FOUR IN ONE) એક જ પુસ્તકમાં ચારેય અનુયોગનું
રોમાંચકારી વર્ણન વાંચતા તમે કોઈ અનેરી ધાર્મિક સ્ફૂર્તિ
અનુભવશો....અને, જો જ્ઞાનીના સત્સંગનું જોર તમારી પાસે હશે
તો, તમે મોક્ષમાર્ગમાં પણ દાખલ થઈ જશો. – ધન્યવાદ !
શ્રી કહાનસ્મૃતિ – પ્રકાશન, સંતસાન્નિધ્ય, સોનગઢ