ગુરુદેવ શ્રી કાનજીસ્વામી ત્યાંના કેદીઓને સદુપદેશનાં
બોધવચનો સંભળાવવા પધાર્યા હતા. ત્યાંના કરુણ અને
વૈરાગ્યપ્રેરક વાતાવરણમાં ગુરુદેવે લાગણીભીના હૃદયે જે
બોધવચન કહ્યા તે અહીં આપવામાં આવ્યા છે. જેલના
કેદીભાઈઓને ગુરુદેવના આ બોધવચનો સાંભળીને
સન્માર્ગમાં જીવન ગાળવાની ભાવના જાગી હતી.
વસ્તુ છે, તે અવિનાશી છે; ને પાપ, હિંસા વગેરે જે દોષ છે, તે
ક્ષણિક છે, તે કાંઈ કાયમી વસ્તુ નથી, એટલે તેને ટાળી શકાય છે.
ક્રોધ – માન વગેરે દોષ તો આત્મા અજ્ઞાનથી અનાદિનો કરતો જ
આવે છે ને તેથી તે આ સંસારરુપી જેલમાં પૂરાયેલો છે, તેમાંથી
કેમ છૂટાય
પણ તે અપરાધ મારા આત્માનું કાયમી સ્વરુપ નથી,’ એમ
ઓળખાણ કરીને તે અપરાધને ટાળી શકાય છે ને નિર્દોષતા
પ્રગટાવી શકાય છે.