Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 17 of 237
PDF/HTML Page 30 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( જેલમાં પ્રવચન : ૧૭
જેમ પાણી ભલે ઊનું થયું તોપણ તેનો સ્વભાવ તો ઠંડો છે,
અગ્નિને ઠારી નાંખવાનો તેનો સ્વભાવ છે; એટલે જે અગ્નિ ઉપર
તે ઊનું થયું તે જ અગ્નિ ઉપર જો તે પડે તો તે પાણી અગ્નિને
બૂઝાવી નાંખે છે, તેમ આ આત્મા શાંત – શીતળસ્વભાવી છે, ને
ક્રોધાદિ તો અગ્નિ જેવા છે; જો કે પોતાની ભૂલથી જ આત્મા
ક્રોધાદિ કરે છે, પણ તે કાંઈ તેનો અસલી સ્વભાવ નથી, અસલી
સ્વભાવ તો જ્ઞાન છે, તેનું ભાન કરે તો ક્રોધાદિ ટળી જાય છે ને
શાંતરસ પ્રગટે છે. આત્મામાં ચૈતન્યપ્રકાશ છે, તે દોષ અને પાપના
અંધકારનો નાશ કરી નાંખે છે.
જુઓ, અહીં (જેલમાં) પણ ભીંત ઉપર લખ્યું છે કે ‘બધા
દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે.’ તે અજ્ઞાનને લીધે જ આ સંસારની
જેલના બંધનમાં આત્મા બંધાયેલો છે; તેમાંથી છૂટવા માટે
આત્માની ઓળખાણ અને સત્સમાગમ કરવા જોઈએ. આવો મોંઘો
મનુષ્ય – અવતાર મળ્યો, તે કાંઈ ફરી ફરીને નથી મળતો; માટે
તેમાં એવું સારું કામ કરવું જોઈએ કે જેથી આત્મા આ ભવબંધનની
જેલમાંથી છૂટે. શ્રીમદ્ રાજચંદ્રજી નાની ઉંમરમાં કહે છે કે –
બહુ પુણ્યકેરા પૂંજથી શુભદેહ માનવનો મળ્યો,
તોયે અરે, ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો
!
આવો મનુષ્યભવ રત્નચિંતામણી સમાન છે, તેમાં શાંતિથી
આત્માને સાવધાન કરીને મનુષ્યજીવન સફળ કરવા જેવું છે;
નહિતર તો આ રત્ન, ચૌટામાં પડેલા રત્નની જેમ ચોરાઈ જશે.
બધાય આત્મામાં (અહીં બેઠા છે તે કેદી – ભાઈઓના દરેક
આત્મામાં પણ) એવી તાકાત છે કે પ્રભુતા પ્રગટાવી શકે ને દોષનો