Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 20 of 237
PDF/HTML Page 33 of 250

 

background image
૨૦ : સ્વાનુભવની ભાવના )
( સમ્યગ્દર્શન
લગાવીને ચિંતન કરવાનું ગમે છે.....એમાં જ મજા આવે છે.
બહારની સામગ્રીમાં કે રાગાદિભાવોમાં કદી જે જાતની શાંતિનો
સ્વાદ આવ્યો ન હતો, એવો કોઈ નવીન શાંતિનો સ્વાદ
ચૈતન્યચિંતનમાં તેને આવવા લાગ્યો.....ક્યાંથી આવ્યો આ મધુર
સ્વાદ
! અંદરમાં પોતામાંથી જ તે સ્વાદ આવી રહ્યો છે. જ્યાંથી આ
સ્વાદ આવી રહ્યો છે ત્યાં ભરેલી અગાધ શાંતિ તરફ તે મુમુક્ષુ હવે
ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે. તેને શાંતિનું વેદન ચમત્કારિક રીતે
વધતું જાય છે ને વિકલ્પો લગભગ બધા જ શાંત થઈ જાય છે.
(૫) હે આત્મપિપાસુ! આ એક અદ્ભુત કળા છે.....કે જે
મુમુક્ષુને જ આવડે છે.....અને જેના ફળમાં કલ્પનાતીત આનંદ થાય
છે. જુઓ, અત્યારે થોડીક વાર એવી આત્મભાવના કરી તેમાં પણ
જગતના બધા સુખ – દુઃખો ભૂલાઈને, તમારા ચિત્તમાં શાંતિના
કેવા ભણકાર આવવા લાગ્યા
! આના ઉપરથી જાતઅનુભવ વડે તું
વિશ્વાસ કર કે, જે શાંતિને હું અનુભવવા માંગુ છું તે બીજે ક્યાંય
નથી પણ મારામાં છે, ને હું પોતે જ શાંતિ સ્વરુપ છું.
બસ, આવો આત્મા.....તે જ પોતાના ધ્યાનનો વિષય.
‘‘જેને હું ધ્યાવવા ચાહું છું.....તે હું જ છું.’’
(ઇતિ સ્વાનુભવની ભાવના.)
આ ભાવનાનો દ્રઢ અભ્યાસ કરો.....પછી તેના પ્રયોગ કહેશું.
હવે ચાલો જઈએ :
ભગવંતોની નગરીમાં.....ચૈતન્ય મહેલમાં.....