Samyak Darshan Part 7 8 (Gujarati). Aanadmay Chaitanyanagri Taraf Panch Pagla.

< Previous Page   Next Page >


Page 22 of 237
PDF/HTML Page 35 of 250

 

background image
૨૨ : ચૈતન્ય નગરી તરફ )
( સમ્યગ્દર્શન
(૧)
આનંદનગરી તરફ પ્રથમ પગલું
‘હવે હું મુમુક્ષુ થયો છું.’
અત્યાર સુધી અનાદિથી આત્માની શાંતિને ભૂલીને હું
કષાયોની આગમાં સળગી રહ્યો છું. હવે મારા પંચ પરમેષ્ઠી
ભગવંતોની શાંતિને દેખીને મને પણ એવી શાંતિ માટે ઘણી જ
ચાહના થઈ છે. તેથી હવે હું આ કષાયની આગમાં એક ક્ષણ પણ
રહી નહીં શકું. એનાથી જલ્દી છૂટીને શાંતરસનો હું પિપાસુ થયો
છું, તેથી હું મુમુક્ષુ છું.
હવે હું વિચારું છું કે અરે, આ કષાયો મને કેવા ભયંકર
દુઃખની આગમાં બાળી રહ્યા છે! એ દેખીને હવે હું કષાયોથી બહુ
જ બીવું છું; તેથી હું તેનાથી ભાગીને ચૈતન્ય મહારાજની સમીપ
આનંદમય ચૈતન્યનગરી તરફ પાંચ પગલાં
આત્મનગરી
શાંતિમહેલ
હે મુમુક્ષુ! કષાયનગરીમાંથી છૂટીને
આત્મનગરીના શાંતિમહેલમાં આવવાનો માર્ગ
તને બતાવું છું. અમે આ માર્ગે આત્મનગરીમાં
આવ્યા છીએ. તું પણ જલ્દી આવ. તે માટે
પાંચ પગલાં તને બતાવું છું.