૨૨ : ચૈતન્ય નગરી તરફ )
( સમ્યગ્દર્શન
(૧)
✽ આનંદનગરી તરફ પ્રથમ પગલું ✽
‘હવે હું મુમુક્ષુ થયો છું.’
અત્યાર સુધી અનાદિથી આત્માની શાંતિને ભૂલીને હું
કષાયોની આગમાં સળગી રહ્યો છું. હવે મારા પંચ પરમેષ્ઠી
ભગવંતોની શાંતિને દેખીને મને પણ એવી શાંતિ માટે ઘણી જ
ચાહના થઈ છે. તેથી હવે હું આ કષાયની આગમાં એક ક્ષણ પણ
રહી નહીં શકું. એનાથી જલ્દી છૂટીને શાંતરસનો હું પિપાસુ થયો
છું, તેથી હું મુમુક્ષુ છું.
હવે હું વિચારું છું કે અરે, આ કષાયો મને કેવા ભયંકર
દુઃખની આગમાં બાળી રહ્યા છે! એ દેખીને હવે હું કષાયોથી બહુ
જ બીવું છું; તેથી હું તેનાથી ભાગીને ચૈતન્ય મહારાજની સમીપ
આનંદમય ચૈતન્યનગરી તરફ પાંચ પગલાં
આત્મનગરી
શાંતિમહેલ
હે મુમુક્ષુ! કષાયનગરીમાંથી છૂટીને
આત્મનગરીના શાંતિમહેલમાં આવવાનો માર્ગ
તને બતાવું છું. અમે આ માર્ગે આત્મનગરીમાં
આવ્યા છીએ. તું પણ જલ્દી આવ. તે માટે
પાંચ પગલાં તને બતાવું છું.