સમ્યગ્દર્શન )
( ચૈતન્ય નગરી તરફ : ૨૩
આવીને જોરજોરથી પોકાર કરું છું કે હે ચૈતન્યદેવ! હવે તમે જ
મને આ કષાય – રાક્ષસોથી બચાવનારા છો અને તમે જ મને
શાંતિ આપીને મારું દુઃખ મટાડનાર છો. પહેલાં હું કદી તમારી
પાસે નહોતો આવ્યો તેથી કષાયોએ મને હેરાન કર્યો.....હવે હું
તમારી પાસે આવ્યો છું ને મુમુક્ષુ થયો છું; તમે અવશ્ય મને
કષાયોથી છોડાવીને મહાન આત્મશાંતિ દેશો – એવો મારો વિશ્વાસ
છે. અહો ચૈતન્ય પ્રભુ! મારા મનમાં તમને યાદ કરતાં જ આ
કષાયો તો તમારાથી ડરીને એકદમ દૂર ભાગવા લાગ્યા, અને મને
શાંતરસની શીતળ હવા આવવા લાગી.
(ઇતિ ચૈતન્યપુરીમાં પ્રથમ પગલું)
(૨)
✽ ચૈતન્યનગરીમાં બીજું પગલું ✽
ચૈતન્યનગરીના મહારાજા ચેતનપ્રભુ કહે છે : – હે મુમુક્ષુ!
તેં બહુ સારું કર્યું કે તું અહીં મારી પાસે ચૈતન્યનગરીમાં આવ્યો.
દેખ, આપણી આ ચૈતન્યનગરી કેવી મજાની સુંદર છે! આ
નગરીમાં બધાય શાંતપરિણામી આત્માઓ જ રહે છે; કષાયો કે
મિથ્યાત્વ વગેરે દુષ્ટ ચોર – લોકોનો આ નગરીમાં પ્રવેશ – નિષેધ
છે; માટે હવે તું તે કષાયોની બીક છોડી દે, અને નિર્ભય થઈને આ
શાંતનગરીમાં રહેનારા સર્વે સજ્જન પરિવારનો પરિચય કર!
દેખ, આ સર્વજ્ઞ મહારાજ ! તેઓ આપણી આ નગરીના
મહારાજા છે, તેઓ આપણી જાતિના જ છે. તેઓ કેવા મજાના
વીતરાગ છે! આપણે પણ એવા જ થવાનું છે.