Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 26 of 237
PDF/HTML Page 39 of 250

 

background image
૨૬ : ચૈતન્ય નગરી તરફ )
( સમ્યગ્દર્શન
(૪)
પંચપરમેષ્ઠીની નગરીમાં ચોથું પગલું
હે પંચપરમેષ્ઠી ભગવાન્!
હવે આજ હું જોશમાં આવી ગયો છું; કાલ હું ઢીલો હતો પણ
હવે મને ખબર પડી ગઈ કે જેટલો અનંતગુણવૈભવ આપની પાસે
છે, – મારી પાસે પણ એટલો જ ગુણવૈભવ ભરેલો છે; અને
કષાયોને કે અશાંતિને મારા કોઈ પણ ગુણમાં રહેવાનો અધિકાર
નથી. તેથી મારી ચૈતન્યસત્તાનો ઉપયોગ કરીને મેં કષાયોને
દેશનિકાલ કરી દીધા છે.....એટલે હવે હું જોશમાં આવી ગયો છું.
અત્યાર સુધી કષાયોના દબાણને કારણે મારી શાંતિ ખીલતી ન
હતી, તથા મારું જ્ઞાન પણ કષાયવશ થવાથી મારા અતીન્દ્રિય
સ્વભાવને દેખી શકતું ન હતું; હવે મારું જ્ઞાન ને શાંતિ કષાયોથી
ભિન્ન સ્વાધીન થઈ જવાથી, પોતાના અસલી સ્વરુપે પ્રગટ થઈને
મારી મહાન શાંતિ તથા અપૂર્વ જ્ઞાનચેતનાનો અનુભવ કરી રહ્યું છે.
વાહ પ્રભો! આપણી આ ચૈતન્યનગરીમાં આવું સુંદર જ્ઞાન
અને આવી વીતરાગી શાંતિ ભરેલી હતી એની મને આજે જ ખબર
પડી, અને મને ઘણી જ પ્રસન્નતા થઈ.....હવે આવી સુંદર નગરીને
છોડીને હું બીજે ક્યાંય જવાનો નથી.....સદાય આપની સાથે આ
નગરીમાં જ મારા સ્વઘરમાં રહીશ.....ને આપના જેવો જ થઈ
જઈશ.
અહો, પંચપરમેષ્ઠી ભગવંતોના પ્રસાદથી હવે મારું જીવન
સુધરી ગયું.....જીવનદિશા પલટી ગઈ; આ જીવનમાં સમ્યક્ત્વાદિ
મહાન આનંદનો લાભ લેવાનો ઉત્તમ અવસર મને મળી ગયો છે
તેથી હવે હું મારા સ્વભાવમાં ઊતરીને, અંતરમાં સ્વાનુભૂતિ કરીને