છે, – મારી પાસે પણ એટલો જ ગુણવૈભવ ભરેલો છે; અને
કષાયોને કે અશાંતિને મારા કોઈ પણ ગુણમાં રહેવાનો અધિકાર
નથી. તેથી મારી ચૈતન્યસત્તાનો ઉપયોગ કરીને મેં કષાયોને
દેશનિકાલ કરી દીધા છે.....એટલે હવે હું જોશમાં આવી ગયો છું.
અત્યાર સુધી કષાયોના દબાણને કારણે મારી શાંતિ ખીલતી ન
હતી, તથા મારું જ્ઞાન પણ કષાયવશ થવાથી મારા અતીન્દ્રિય
સ્વભાવને દેખી શકતું ન હતું; હવે મારું જ્ઞાન ને શાંતિ કષાયોથી
ભિન્ન સ્વાધીન થઈ જવાથી, પોતાના અસલી સ્વરુપે પ્રગટ થઈને
મારી મહાન શાંતિ તથા અપૂર્વ જ્ઞાનચેતનાનો અનુભવ કરી રહ્યું છે.
પડી, અને મને ઘણી જ પ્રસન્નતા થઈ.....હવે આવી સુંદર નગરીને
છોડીને હું બીજે ક્યાંય જવાનો નથી.....સદાય આપની સાથે આ
નગરીમાં જ મારા સ્વઘરમાં રહીશ.....ને આપના જેવો જ થઈ
જઈશ.
મહાન આનંદનો લાભ લેવાનો ઉત્તમ અવસર મને મળી ગયો છે
તેથી હવે હું મારા સ્વભાવમાં ઊતરીને, અંતરમાં સ્વાનુભૂતિ કરીને