મારું ચિત્ત એવું તલસી રહ્યું છે કે દુનિયાની સામે ક્યાંય દેખવાની
ઇચ્છા થતી નથી. દુનિયાનો કોઈ પણ પ્રસંગ હવે મારી ચેતનાને
મારા સુખથી છોડાવીને મને નથી તો ડરાવી શકતો, કે નથી
લોભાવી શકતો. તેથી હું દુનિયાથી ઉપેક્ષિત થઈને મારા
ચૈતન્યરસના મીઠા સ્વાદમાં જ મશગુલ છું.
આ ચૈતન્યનગરીને દેખતો જાઉં છું તેમ તેમ તેની મહાન અદ્ભુત
વિભૂતિઓ દેખીને મને આશ્ચર્ય થઈ રહ્યું છે. અહા
ચૈતન્યપુરીમાં દેખી.
ફસાઈ પડયો હતો ત્યારે પણ મારી આ આત્મવિભૂતિ મારામાં જ
ભરી હતી, અને છતાં પણ કષાયો તેને નષ્ટ કરી શક્યા ન હતા.
આથી એમ પણ નક્કી થઈ જાય છે કે કષાયોની તાકાત કરતાં મારી
આત્મવિભૂતિની તાકાત ઘણી મહાન છે.